રામમંદિર ટ્રસ્ટને લઈને નિર્મોહી અખાડા જશે સુપ્રીમ કોર્ટે? વાંચો વિગત
રામમંદિરને લઈને વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે નિર્મોહી અખાડાને વાંધો પડ્યો છે અને સૂત્રોના આધારે મળેલી જાણકારી અનુસાર નિર્મોહીલ અખાડા આ મુદે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિર અંગે એક ટ્ર્સ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની દેખરેખમાં રામમંદિરનું નિર્માણ થશે એવું સરકાર દ્વારા કોર્ટના આદેશ બાદ […]
રામમંદિરને લઈને વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે નિર્મોહી અખાડાને વાંધો પડ્યો છે અને સૂત્રોના આધારે મળેલી જાણકારી અનુસાર નિર્મોહીલ અખાડા આ મુદે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિર અંગે એક ટ્ર્સ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની દેખરેખમાં રામમંદિરનું નિર્માણ થશે એવું સરકાર દ્વારા કોર્ટના આદેશ બાદ નક્કી કરાયું છે.
આ પણ વાંચો : ભૂજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહાર બાદ મહિલા આયોગે સુઓમોટો કરી દાખલ
નિર્મોહી અખાડાને પડ્યો શું વાંધો? નિર્મોહી અખાડાના સરપંચ રાજા રામચંદ્રાચાર્યે કહ્યું કે જે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે તેમાં ઘણીબધી ખામીઓ છે. સરકારે આ ટ્રસ્ટના ગઠન પહેલાં નિર્મોહી અખાડા પાસેથી કોઈ જ સલાહ લીધી નથી. નિર્મોહી અખાડાને આપવામાં આવેલું પ્રતિનિધિત્વ કોઈ જ કામનું નથી કારણ કે પ્રતિનિધિઓ પાસે કોઈ શક્તિ નથી. અમે જલદી જ બેઠ કરીશું અને નવા વિકલ્પ પર અમલ કરીશું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આમ આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે નિર્મોહી અખાડાને અસંતોષ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નિર્મોહી અખાડાના પ્રતિનિધિ તરીકે ટ્ર્સ્ટમાં મહંદ દિનેદ્રની નિમણૂક કરી છે. આમ નિર્મોહી અખાડા આ કેસને લઈને કોર્ટ સુધી જાય તેવી શક્યતાઓ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]