નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત મુકેશની દયા અરજી ફગાવી
નિર્ભયા ગેંગરેપ કેસના દોષી મુકેશની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પુરાવા નથી કે પ્રાસંગિક દસ્તાવેજ રાષ્ટ્રપતિની સામે રાખવામાં આવ્યા નહતા. મુકેશે તેની દયા અરજી રદ થઈ, તેની વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ […]
નિર્ભયા ગેંગરેપ કેસના દોષી મુકેશની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પુરાવા નથી કે પ્રાસંગિક દસ્તાવેજ રાષ્ટ્રપતિની સામે રાખવામાં આવ્યા નહતા. મુકેશે તેની દયા અરજી રદ થઈ, તેની વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મુકેશના વકીલ અંજના પ્રકાશે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની સામે ઘણા દસ્તાવેજ રાખવામાં આવ્યા નહતા. તેથી દયા અરજી રદ થવાની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટે વિચાર કરવો જોઈએ. તેમના વકીલ દ્વારા મુકેશે કહ્યું હતું કે તેની જેલમાં યૌન ઉત્પીડન થયું હતું અને તેના ભાઈ રામસિંહની હત્યા કરવામાં આવી હતી.
આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પોતાને સંતુષ્ટ કરવા માટે રાષ્ટ્રપતિની પાસે મોકલવામાં આવેલા તમામ દસ્તાવેજોને જોયા. ગૃહમંત્રાલયે તમામ દસ્તાવેજ મોકલ્યા હતા. મુકેશની અરજીમાં કોઈ મેરિટ નથી. જેલમાં સતામણી દયા માટે કોઈ આધાર નથી. આ પછી મુકેશની અરજી ફગાવી દેવામાં આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની બહેનનું નિધન