આ બાબતે મેચમાં રાખવી પડશે કાળજી નહીં તો વિરાટ કોહલી પર લાગી જશે પ્રતિબંધ!
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. વિરાટ કોહલીને તેમના વર્તનને લઈને 3 ડિમેરિટ પોઈન્ટ મળી ચૂક્યા છે. જો તેમને વધારે એક અંક વર્તનને લઈને મળે તો તેમની પર એક ટેસ્ટ કે બે વન-ડે રમવા પર પ્રતિબંધ લાગી શકે છે. આઈસીસી તેમની પર પ્રતિબંધ પણ લગાવી શકે છે. Facebook પર તમામ […]
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. વિરાટ કોહલીને તેમના વર્તનને લઈને 3 ડિમેરિટ પોઈન્ટ મળી ચૂક્યા છે. જો તેમને વધારે એક અંક વર્તનને લઈને મળે તો તેમની પર એક ટેસ્ટ કે બે વન-ડે રમવા પર પ્રતિબંધ લાગી શકે છે. આઈસીસી તેમની પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.
આમ વિરાટ કોહલીને પોતાના આક્રમક ગુસ્સા કે વર્તન પર કાબૂ રાખવો પડશે. વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સાથેના મેચમાં બ્યૂરેન હૈન્ડ્રિક્સની સાથે ટકરાયા હતા. વિરાટે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જે બાદ રેફરી કોઈ આગળ કાર્યવાહી કરી નહોતી. આ ઘટનામાં વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની આચાર સંહિતાના લેવલ 1 મુજબ દોષી ઠર્યા હતા. આ ઘટનામાં ચેતવણીની સાથે એક ડિમેરિટ અંક કોહલીને આપવામાં આવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સપ્ટેમ્બર 2016ના બાદ આ ત્રીજી ઘટના કપ્તાન કોહલીને લઈને સામે આવી છે. કોહલીના ખાતામાં 3 ડિમેરિટ અંક નોંધાઈ ગયા છે. 2020 સુધી વિરાટે શાંતિથી રમવાનું રહેશે અને જો તેઓ આવું નહીં કરે તો તેની પર કાર્યવાહી થઈ શકે છે.
શું કહે છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો નિયમ? જ્યારે કોઈપણ ખેલાડી મેદાનમાં ખરાબ વર્તન કરે ત્યારે તેની સામે ડિમેરટ અંક આપવામાં આવે છે. જો કોઈપણ ખેલાડી 2 વર્ષમાં 4થી વધારે વખત ભૂલ કરે તો તેની સામે પ્રતિબંધ પણ લાગી શકે છે. જેમ જેમ આ અંક વધે તેમ સજા પણ વધી શકે છે. જેના લીધે વિરાટ કોહલીએ આવનારા 4 મહિના સુધી શાંતિથી રમવું પડશે જેના લીધે કોઈ વિવાદ ઉભો ન થાય.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]