મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણઃ NCPના પ્રવક્તાનું નિવેદન, શિવસેના તૈયાર હશે તો અમે વિચારીશું
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મુદ્દે હજુ ખેંચતાણ ચાલુ છે. આ તમામ ઘટના વચ્ચે NCP દ્વારા એક નિવેદન અપાયું છે. NCPએ કહ્યું કે, શિવસેના ભાજપને છોડીને જનતાની સરકાર બનાવવા તૈયાર છે. અને એવી સરકાર જેની છત્રપતિ શિવાજી મહારાજે કલ્પના કરી હતી. તે અમે પોઝિટીવ કામગીરી માટે તૈયાર છીએ. NCPના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે, જો ઉદ્ધવ […]
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મુદ્દે હજુ ખેંચતાણ ચાલુ છે. આ તમામ ઘટના વચ્ચે NCP દ્વારા એક નિવેદન અપાયું છે. NCPએ કહ્યું કે, શિવસેના ભાજપને છોડીને જનતાની સરકાર બનાવવા તૈયાર છે. અને એવી સરકાર જેની છત્રપતિ શિવાજી મહારાજે કલ્પના કરી હતી. તે અમે પોઝિટીવ કામગીરી માટે તૈયાર છીએ. NCPના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે, જો ઉદ્ધવ ઠાકરે લોકોના હિતમાં કોઈ નિર્ણય કરશે તો સરકાર બનાવવા વિકલ્પ બની શકાય છે. જો કે એક દિવસ પહેલા શરદ પવારે કહ્યું કે, તેમની પાર્ટી વિધાનસભામાં વિપક્ષની ભૂમિકા નિભાવશે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવામાં સોનિયા ગાંધીની કોઈ ખાસ ઈચ્છા નથી!
NCPના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે એક પછી એક ટ્વીટ કર્યા હતા. અને કહ્યું કે, સરકાર બનાવવાની પહેલ શિવસેના તરફથી થવી જોઈએ. તો ભાજપ નેતા સુધીરના નિવેદન મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. જવાબ આપતા કહ્યું કે, મહારાષ્ટ્રમા રાષ્ટ્રપતિ શાસન થોપવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેમની પાર્ટી રાજ્યને લોકતાંત્રિક દિશા આપવાનો પ્રયાસ કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો