મહારાષ્ટ્રમાં રાજનીતિનું મહામંથનઃ શિવસેનાને સમર્થન આપવા NCPએ રાખી આ શરત
મહારાષ્ટ્રમાં રાજનીતિમાં એક પછી એક નિવેદનો આવી રહ્યા છે. પરંતુ સરકાર બનાવવા માટે કોઈ પગલુ ભરતા નથી. ભાજપના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો ઈનકાર કરી દીધો છે. કારણ કે, તેમની પાસે બહુમતની પુરતી સંખ્યા નથી. જે બાદ રાજ્યપાલ દ્વારા બીજી મોટી પાર્ટી એટલે શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે આ અંગે […]
મહારાષ્ટ્રમાં રાજનીતિમાં એક પછી એક નિવેદનો આવી રહ્યા છે. પરંતુ સરકાર બનાવવા માટે કોઈ પગલુ ભરતા નથી. ભાજપના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો ઈનકાર કરી દીધો છે. કારણ કે, તેમની પાસે બહુમતની પુરતી સંખ્યા નથી. જે બાદ રાજ્યપાલ દ્વારા બીજી મોટી પાર્ટી એટલે શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે આ અંગે શિવસેનાનો કોઈ જવાબ નથી આવ્યો.
આ પણ વાંચોઃ રસોડાની રાણી અને ગરીબોની કસ્તુરી એવી ડુંગળી લોકોને રડાવી રહી છે
આ તમામ ઘટનાક્રમ વચ્ચે શિવસેનાની સામે NCPએ ગઠબંધનનો પ્રસ્તાવ રાખ્યો છે. પરંતુ સાથે કેટલીક શરત પણ રાખી છે. જેમાં શિવસેનાને NDA સાથેના ગઠબંધનને તોડવો પડશે. સોમવારે શિવસેનાના નેતા NCP પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
NCP નેતા નવાબ મલિકે સ્પષ્ટ રીતે જણાવી દીધુ છે કે, જો શિવસેના અમારુ સમર્થન લેવા માગે છે તો, NDAમાંથી બહાર થવું પડશે. સાથે કેન્દ્રમાંથી પોતાના કેબિનેટ મંત્રીઓને પણ રાજીનામું આપવું પડશે.