VIDEO: શિવસેના-NCPની સંયૂક્ત પત્રકાર પરીષદમાં શરદ પવારનું નિવેદન, અજીત પવારનો નિર્ણય પક્ષ વિરૂદ્ધ
NCP પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલથી નારાજગી વ્યક્ત કરી છે. શરદ પવારે કહ્યું કે મને આજે સવારે 6 વાગ્યે શપથ લેવા વિશેની જાણકારી આપવામાં આવી. YB Chavan સેન્ટરમાં NCP-શિવસેનાની જોઈન્ટ પત્રકાર પરિષદમાં પવારે કહ્યું કે ત્રણ દળોએ સરકાર બનાવવાનો નિર્ણય લીધો હતો. અમને તમામ જાણકારી ટીવી દ્વારા મળી છે. અજિત પવારનો નિર્ણય પાર્ટીની […]
NCP પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલથી નારાજગી વ્યક્ત કરી છે. શરદ પવારે કહ્યું કે મને આજે સવારે 6 વાગ્યે શપથ લેવા વિશેની જાણકારી આપવામાં આવી. YB Chavan સેન્ટરમાં NCP-શિવસેનાની જોઈન્ટ પત્રકાર પરિષદમાં પવારે કહ્યું કે ત્રણ દળોએ સરકાર બનાવવાનો નિર્ણય લીધો હતો. અમને તમામ જાણકારી ટીવી દ્વારા મળી છે. અજિત પવારનો નિર્ણય પાર્ટીની વિરૂદ્ધ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેમને વધુમાં કહ્યું કે NCPના જે પણ પ્રમાણિક કાર્યકર્તા છે, તે અજીત પવારની સાથે નહી જાય, અમારી પાસે નંબર છે. અમારી પાસે 156 ધારાસભ્યોનું સમર્થન છે. અજીત પવારનો નિર્ણય પાર્ટી લાઈનની વિરૂદ્ધ અનુશાસન તોડવાવાળું છે. NCPના કોઈ પણ કાર્યકર્તા NCP-BJPની સરકારના સમર્થનમાં નથી.
રાજ્યપાલને સમર્થન પત્ર આપવાને લઈ ખુલાસો કરતા પવારે કહ્યું કે પાર્ટી ધારાસભ્ય દળના નેતાની પસંદગી દરમિયાન ધારાસભ્યોના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા. એવી આશંકા છે કે આ સહી સાથેનો પત્ર રાજભવનમાં આપવામાં આવ્યો હશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો