નવસારી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી, હજારો હેકટર જમીન બિનઉપજાવ બની રહી છે
જગત નો તાત વિવધ સમસ્યાઓ નો સામનો કરી રહ્યો છે અને કુદરતે તો જાણે ગ્લોબલ વોર્મિંગ દ્વારા ખેડૂતો ને પાયમાલ કરવાનો ઇજારો રાખ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના 52 કિલોમીટર લાંબા દરિયા કિનારા થી 20 કિલોમીટર સુધી પહોંચી ગયેલી દરિયા ની ખારાશ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. TV9 Gujarati Web Stories View more ગુજરાતની […]
જગત નો તાત વિવધ સમસ્યાઓ નો સામનો કરી રહ્યો છે અને કુદરતે તો જાણે ગ્લોબલ વોર્મિંગ દ્વારા ખેડૂતો ને પાયમાલ કરવાનો ઇજારો રાખ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના 52 કિલોમીટર લાંબા દરિયા કિનારા થી 20 કિલોમીટર સુધી પહોંચી ગયેલી દરિયા ની ખારાશ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.
દરિયા કિનારો એ માછીમારી અને અન્ય રોજગારી ની ગરજ સારે છે પરંતુ છેલ્લા 10 વર્ષ થી ભૌગોલિક ફેરફારો ને કારણે દરિયા કિનારા ની હજારો હેક્ટર જમીન માં ખારાશ વધવાના કારણે ફળદ્રુપતા ગુમાવી ચુકી છે બિનઉપજાવ થઈ જવાના કારણે જમીનો બંજર હાલત માં પડી છે.
નવસારી જિલ્લાનો જલાલપોર તાલુકો સેલીનીટીના કારણે ખેતી વિહોણા બન્યો છે છેલ્લા 10 વર્ષ માં જે ઝડપે ખારાશ વધી છે એ જોતાં ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. સંશોધન માટે જાણીતી કૃષિ યુનિવર્સિટી ના કૃષિ વૈજ્ઞાનિકો પણ ખારાશ ની સ્થિતિ ને જોતા કૃષિ આવક પર અસર થવાની ભીતિ સેવી રહ્યા છે.
આ પણ વાંચો : હાફિઝ સઈદનો પ્રેમ પાકિસ્તાનને માથે પડ્યો, FATFના ગ્રે લિસ્ટમાં જ રહશે
નવસારી જિલ્લા માટે દરિયા કિનારો ઝીંગા તળાવો અને માછીમારી જેવા રોજગારો ઉભા કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ છેલ્લા 1 દાયકા મા દરિયાની ખારાશ દરિયા કિનારા થી 20 કીમી સુધી પહોંચી ગઈ છે જિલ્લા ની હજારો હેક્ટર ખેતી લાયક જમીન બંજર હાલત માં પડી છે અને આગળ વધી રહેલી ખારાશ ફળદ્રુપ જમીન ધરાવતા ખેડૂતો માંટે ખતરાની ઘંટી સમાન બની છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
[yop_poll id=1695]