નવસારી: સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે કર્યો આપઘાત, પરિવારે ડ્યૂટી દરમિયાન ત્રાસ અપાતો હોવાના કર્યા આક્ષેપ
કોરોના વોરિયર્સ તરીકે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરમાં પોતાના ઘરે જ ફાંસો ખાઈને 28 વર્ષીય નર્સે આપઘાત કરી લીધો છે. મેઘાના આપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પાંચ પાનાંની સુસાઇડ નોટ પોલીસે જપ્ત કરી છે. પરિવારના સભ્યોએ દીકરીના આપઘાત પાછળ સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી દરમિયાન ત્રાસ અપાતો હોવાના […]
કોરોના વોરિયર્સ તરીકે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરમાં પોતાના ઘરે જ ફાંસો ખાઈને 28 વર્ષીય નર્સે આપઘાત કરી લીધો છે. મેઘાના આપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પાંચ પાનાંની સુસાઇડ નોટ પોલીસે જપ્ત કરી છે. પરિવારના સભ્યોએ દીકરીના આપઘાત પાછળ સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી દરમિયાન ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કર્યા છે, સાથે જ દીકરીને આપઘાત કરવા મજબૂર કરનારા સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો પરિવારે નિર્ણય કર્યો છે. હાલ મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે રાખવામાં આવ્યો છે. સમગ્ર આપઘાત પ્રકરણમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: જો તમે ATM કાર્ડનો ઉપયોગ કરતા હોઈ તો રહો સાવધાન! ATM કાર્ડ ક્લોનિંગ કરી છેતરપિંડી કરતા 3 આરોપી ઝડપાયા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો