નટરાજનને કિગ્સ ઈલેવન પંજાબમાં સમાવાયો ત્યારે સવાલો કરાયા હતા, આજે સૌની પંસદ બન્યો છેઃસેહવાગ
ભારતીય ક્રિકેટના પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગએ ઝડપી બોલર ટી નટરાજનને લઇને મોટી પ્રતિક્રીયા આપી છે. તેણે ખુલાસો કર્યો છે કે, આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના માટે ટી નટરાજનની પસંદગી કરાઇ હતી ત્યારે અનેક લોકો એ તેની પર સવાલ ઉઠાવ્યા હતા. સ્પોર્ટસ ચેનલના એક કાર્યક્રમમાં એક દર્શક ના સવાલ જવાબ દરમ્યાન વિરેન્દ્ર સહેવાગે આ વાતને કહી […]
ભારતીય ક્રિકેટના પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગએ ઝડપી બોલર ટી નટરાજનને લઇને મોટી પ્રતિક્રીયા આપી છે. તેણે ખુલાસો કર્યો છે કે, આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના માટે ટી નટરાજનની પસંદગી કરાઇ હતી ત્યારે અનેક લોકો એ તેની પર સવાલ ઉઠાવ્યા હતા.
સ્પોર્ટસ ચેનલના એક કાર્યક્રમમાં એક દર્શક ના સવાલ જવાબ દરમ્યાન વિરેન્દ્ર સહેવાગે આ વાતને કહી હતી. તેમને પુછવામાં આવ્યુ હતુ કે ભારતીય ટીમમાં લાંબા સમય બાદ એક લેફ્ટ આર્મ સીમરને જોઇને ઉત્સાહીત છે. આ સવાલના જવાબમાં સહેવાગે કહ્યુ હતુ કે 2017માં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં નટરાજનને સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારે અનેક લોકો આશા તેની પાસે રાખતા નહોતા.
સહેવાગે કહ્યુ હતુ કે, ટી નટરાજનને જોઇને હું ખૂબ ખુશ હતો. કારણ કે જ્યારે મે એને કિંગ્સ ઇલેવન પંજાબ માટે તેને પસંદ કર્યો હતો ત્યારે અનેક લોકો એ તેની પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓ સવાલ કરતા હતા કે આ ખેલાડી એ ડોમેસ્ટિક ક્રિકેટ પણ નથી રમી, ફક્ત તામિલનાડુ પ્રિમીયર લીગમાં જ રમીને આવી ગયો છે. એટલે તેને આટલી મોટી રકમ થી પસંદ કરવો તે યોગ્ય નિર્ણય નથી. વિરેન્દ્ર સહેવાગે આગળ વાત કરતા કહ્યુ હતુ કે, મને પૈસાની પરવાહ નહોતી , બસ મને એનામાં ટેલેન્ટ જોવા મળ્યુ હતુ. અમારી ટીમમાં તામિલનાડુના કેટલાક ખેલાડીઓ હતા અને તેમણે પણ મને બતાવ્યુ હતુ કે નટરાજન શ્રેષ્ઠ બોલર છે. તે ડેથ ઓવરમાં પણ જબરદસ્ત બોલીંગ કરે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો