VIDEO: નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર, જળસપાટી 133.06 મીટરે પહોંચી
નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 133.07 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 2 લાખ 29 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના કારણે નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદીમાં 1 લાખ 78 હજાર ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. જેના કારણે […]
નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 133.07 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 2 લાખ 29 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના કારણે નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદીમાં 1 લાખ 78 હજાર ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. જેના કારણે કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ડુબી ગયો છે. હાલ ગોરા બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. નર્મદા ડેમમાં પાણીની આવક થતા રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરી દેવામાં આવ્યા છે અને કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે. હાલ પાવર હાઉસ ચાલુ કરાતા 28 હજાર મેગા વોટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. જેમાંથી 57 ટકા મધ્યપ્રદેશને, 27 ટકા મહારાષ્ટ્રને અને 16 ટકા ગુજરાતને મળી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રેલ્વે યાત્રીઓ માટે ખુશખબર! IRCTC અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ વચ્ચે તેજસ ટ્રેન ચલાવશે
[yop_poll id=”1″]