VIDEO: નર્મદા ડેમની જળસપાટી 138.33 મીટર પર પહોંચી, નદી કાંઠાના 175 ગામને એલર્ટ કરાયા
નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસીક સ્તર પર પહોંચી છે. અને 138.33 મીટરની સપાટીને પાર કરી દીધી છે. મધ્યપ્રદેશમાંથી પાણીની અવિરત આવકથી ડેમની સપાટીમાં દર કલાકે 1 સેમીનો વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાં 8 લાખ 55 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે 23 દરવાજા ખોલીને 8 લાખ 11 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં […]
નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસીક સ્તર પર પહોંચી છે. અને 138.33 મીટરની સપાટીને પાર કરી દીધી છે. મધ્યપ્રદેશમાંથી પાણીની અવિરત આવકથી ડેમની સપાટીમાં દર કલાકે 1 સેમીનો વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાં 8 લાખ 55 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે 23 દરવાજા ખોલીને 8 લાખ 11 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોને મુસાફરી માટે આજનો દિવસ અનુકુળ નથી
ડેમની જળસપાટીને ધ્યાનમાં રાખીને નદી કાંઠાના 175 ગામને એલર્ટ કરાયા છે. તો બીજી તરફ કેવડિયા પાસે આવેલો ગોરા બ્રિજ 7 દિવસથી રાહદારીઓ માટે બંધ છે. હાલ નર્મદા ડેમમાં 5484.47 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મહત્વનું છે કે આગામી 17મી સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમના લોકાર્પણને બે વર્ષ પૂરા થશે. જેની ઉજવણી ઉષ્માભેર કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો