દિવાળીમાં ભારતીય વસ્તુ ખરીદવા, સૈન્ય જવાનોના માનમાં એક દિવો પ્રગટાવવા નરેન્દ્ર મોદીની અપિલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મનકી બાત કાર્યક્રમમાં દેશની જનતાને અપિલ કરી કે, આ વર્ષે દિવાળીમાં જે કોઈ ખરીદી કરો તેમાં ભારતમાં બનેલી ચીજવસ્તુને અગ્રતા આપવી. તો દેશના વીર સૈન્ય જવાનોના માનમાં પણ એક દિવો પ્રગટાવવા કહ્યું, સાથોસાથ ખાદીની ખરીદી કરીને ગ્રામ્ય રોજગારીને ઉત્તેજન આપવા પણ અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મન કી બાતના 70માં કાર્યક્રમ અંતર્ગત […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મનકી બાત કાર્યક્રમમાં દેશની જનતાને અપિલ કરી કે, આ વર્ષે દિવાળીમાં જે કોઈ ખરીદી કરો તેમાં ભારતમાં બનેલી ચીજવસ્તુને અગ્રતા આપવી. તો દેશના વીર સૈન્ય જવાનોના માનમાં પણ એક દિવો પ્રગટાવવા કહ્યું, સાથોસાથ ખાદીની ખરીદી કરીને ગ્રામ્ય રોજગારીને ઉત્તેજન આપવા પણ અપીલ કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મન કી બાતના 70માં કાર્યક્રમ અંતર્ગત દેશની જનતાને સંબોધન કર્યું હતું. વિજયા દશમીની શુભેચ્છા પાઠવતા મોદીએ અપિલ કરતા કહ્યું કે દેશના વીર સૈન્ય જવાનો માટે એક દિવો પ્રગટાવવો. દિવાળીના તહેવારમાં જે કોઈ ખરીદી કરવામાં આવે તેમાં ભારતીય ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવે તે જરૂરી છે. ખાદીની પણ ખરીદી કરવા મોદીએ આહવાન કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાતના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. કાશ્મિરના પુલવામાં વિકસેલા પેન્સીલ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચોઃપાટણના પૂર્વ સાસંદ, ગુજરાતી ફિલ્મ સંગીતકાર મહેશ કનોડીયાનું લાંબી બિમારીથી નિધન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો