રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું આપશે PM મોદી, તો બીજી વખત શપથવિધિ પહેલા આ શુભકાર્ય માટે ગુજરાત આવશે
ભાજપની પ્રચંડ જીત બાદ ફરી એક વખત નરેન્દ્ર મોદી સત્તાની ખુરશી પર આસીન થશે. ત્યારે તમામ લોકોની નજર શપથ ગ્રહણ પર રહેલી છે. માહિતી મુજબ 30 મેના રોજ શપથ કાર્યક્રમ યોજાઈ શકે છે. પરંતુ આ પહેલા નરેન્દ્ર મોદી પોતાની માતાના આશીર્વાદ લેવા ગુજરાત આવશે. ગુજરાતમાં પણ ભાજપે તમામ 26 બેઠક પર પોતાનો ઝંડો લહેરાવ્યો છે. […]
ભાજપની પ્રચંડ જીત બાદ ફરી એક વખત નરેન્દ્ર મોદી સત્તાની ખુરશી પર આસીન થશે. ત્યારે તમામ લોકોની નજર શપથ ગ્રહણ પર રહેલી છે. માહિતી મુજબ 30 મેના રોજ શપથ કાર્યક્રમ યોજાઈ શકે છે. પરંતુ આ પહેલા નરેન્દ્ર મોદી પોતાની માતાના આશીર્વાદ લેવા ગુજરાત આવશે. ગુજરાતમાં પણ ભાજપે તમામ 26 બેઠક પર પોતાનો ઝંડો લહેરાવ્યો છે. જેને લઈને પોતાના માતાના આશીર્વાદની સાથે નરેન્દ્ર મોદી લોકો વચ્ચે પણ અભિવાદન કરશે.
આ સિવાય મોદીજી જે બેઠક વારાણસી પરથી જીત્યા છે ત્યાં પણ મતદાતાઓનું અભિવાદન કરવા જશે. સાથે લોકો વચ્ચે સંબોધન દ્વારા લોકોનો આભાર માનશે. મહત્વનું છે કે નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણીમાં જીત મેળવે છે અને પોતાના જન્મદિવસે પોતાની માતાના આશીર્વાદ લેવા પહોંચે છે. 2014માં પણ વડાપ્રધાન બન્યા ત્યાર પછી હીરા બાના આર્શીર્વાદ લેવા માટે ગુજરાત આવ્યા હતા. શપથવિધિના કાર્યક્રમની તારીખોને લઈને પણ કેટલીક અટકળો ચાલી રહી છે. જોવામાં આવે તો 2014માં 26 મેના રોજ શપથવિધિ યોજાઈ હતી. તો 2019માં 30મેના દિવસે આ કાર્યક્રમ થવાની સંભાવના છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને સાથે પોતાનું રાજીનામું પણ આપશે. જે બાદ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તો બીજી તરફ રાષ્ટ્રપતિ દ્વારા હાલના કેન્દ્રીય પ્રધાનોને ડીનર માટે પણ બોલવવામાં આવશે.