મુંબઈમાં 90% દુકાનો ખુલી હોવા છતા વ્યવસાયમાં 30-40% ઘટાડો, જાણો શું છે કારણ
નવા કૃષિ કાયદાના વિરોધમાં બોલાવેલા બંધને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો. મુંબઈમાં દાદર વિસ્તાર સવારથી જ તમામ દુકાનો બંધ હતી પણ બપોર પછી આ દુકાનો ખોલી દેવામાં આવી. મુંબઈમાં ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલફેયર એસોસિએશનના અધ્યક્ષ વિરેન શાહે જણાવ્યુ કે તેઓ ખેડૂતોનું સમર્થન કરે છે પણ બંધનું નહીં. આજના બંધ પર ટીવી9 સાથેની […]
નવા કૃષિ કાયદાના વિરોધમાં બોલાવેલા બંધને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો. મુંબઈમાં દાદર વિસ્તાર સવારથી જ તમામ દુકાનો બંધ હતી પણ બપોર પછી આ દુકાનો ખોલી દેવામાં આવી. મુંબઈમાં ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલફેયર એસોસિએશનના અધ્યક્ષ વિરેન શાહે જણાવ્યુ કે તેઓ ખેડૂતોનું સમર્થન કરે છે પણ બંધનું નહીં. આજના બંધ પર ટીવી9 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે મુંબઈની 90% દુકાનો ખુલી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આખો દિવસ એકંદરે દુકાનો ખોલવામાં આવી હતી. શહેરમાં કોઈ અરાજકતા કે કોઈ હંગામો નથી થયો. અમુક વિસ્તારોમાં વેપારીઓ સ્થાનિક કોર્પોરેટરની વિનંતી બાદ દુકાનો બપોર સુધી બંધ રાખી હતી. મુંબઈના ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિએશનના અધ્યક્ષ વિરેન શાહે કહ્યું કે બંધને કારણે વ્યવસાય 30%થી 40% સુધી ઘટી ગયો હતો, કારણ કે લોકો ઘરે જ હતા અને ખરીદી કરવા આવ્યા નહતા.
જાણો કયા વિસ્તારમાં શું સ્થિતિ રહી
1. દાદર સી કેલકર માર્ગ અને દાદર ટી.ટી, પરેલ, લાલબાગમાં બપોરે 3 બાદ દુકાનો ખુલી હતી.
2. કાલબાદેવીમાં કેટલીક દુકાન બપોરે 12.30 પછી ખુલી.
3. માટુંગામાં કેટલીક દુકાનો બપોર સુધી બંધ હતી.
4. ચેમ્બુર સ્ટેશનની દુકાન બપોરે 4 વાગ્યે ખુલી.
5. મુલુંડ ઘાટકોપરની દુકાનો બપોર બાદ ખુલી.
6. પુણે અને સોલાપુરના કેટલાક બજારો બંધ હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો