જીવતા સમાધિ લેવાની વાત કરનારા કાંતિલાલ મુછડિયાએ જનતાની માગી માફી, નિર્ણય પરત લીધો
જીવતા સમાધિ લેવાની વાત કરનારા કાંતિલાલ મુછડિયાએ જનતાની માફી માગીને સમાધિ લેવાનો વિચાર પડતો મુક્યો છે. કાંતિલાલ મુછડિયા મોરબીના પીપળિયા ગામમાં જીવતા સમાધિ લેવાના હતા. કાંતિલાલની જાહેરાત બાદ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પીપળિયા ગામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાંતિલાલ સાથે વાતચીત કરી હતી. આ વાર્તાલાપ બાદ કાંતિલાલે જાહેરમાં જનતાની માફી માગી હતી અને સમાધિનો વિચાર […]
જીવતા સમાધિ લેવાની વાત કરનારા કાંતિલાલ મુછડિયાએ જનતાની માફી માગીને સમાધિ લેવાનો વિચાર પડતો મુક્યો છે. કાંતિલાલ મુછડિયા મોરબીના પીપળિયા ગામમાં જીવતા સમાધિ લેવાના હતા. કાંતિલાલની જાહેરાત બાદ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પીપળિયા ગામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાંતિલાલ સાથે વાતચીત કરી હતી. આ વાર્તાલાપ બાદ કાંતિલાલે જાહેરમાં જનતાની માફી માગી હતી અને સમાધિનો વિચાર પડતો મુક્યો હતો.
આ પણ વાંચોઃ ભાજપની ગાંધી સંકલ્પ યાત્રામાં અલ્પેશ ઠાકોરની સૂચક ગેરહાજરીથી કોને આપવા માગે છે સંદેશ?
કાંતિલાલે એવો દાવો કર્યો હતો કે તેમના ગુરૂએ સ્વપ્નમાં આવીને તેમના જીવતા સમાધિ લેવાનો ઈનકાર કર્યો હોવાથી. તેઓએ આ નિર્ણય પડતો મૂક્યો હોવાનો ખુલાસો કર્યો હતો. જોકે મુછડિયાનું માનવું છે કે, તેમના ગુરૂ સાથે-સાથે તેમના સમાજે પણ જીવતા સમાધિ લેવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જેને વશ થઈને તેમણે નિર્ણય માંડી વાળ્યો હોવાની કબૂલાત કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જોકે આ નિર્ણયની જાહેરાત કરતા પહેલા કાંતિલાલ મુછડિયા પોતાના ગુરૂની સમાધિએ પહોંચ્યા હતા. જ્યાં જામ દુધઇ ગામખાતે આવેલ નવઘણ દાદાની જગ્યાના મહંત નથુરામ બાપુએ પણ તેઓને સમજાવ્યા હતા. અને આ સમજાવટ બાદ તેઓએ સમાધિ લેવાનો નિર્ણય પડતો મૂક્યાની જાહેરાત કરી હતી. જોકે જામ દુધઇના નથુરામ બાપુએ જણાવ્યું હતું કે, હવે જો દાદા કહેશો તો ભવિષ્યમાં કાંતિલાલ મુછડિયા સમાધિ લેશે.