નાગરિકતા સંશોધન બિલ: નાગરિકતાના શું છે નિયમ? જાણો સરકાર શું ફેરફાર કરવા જઈ રહી છે

કલમ 370, NRC પછી હવે મોદી સરકારે એક મોટું પગલું ભર્યુ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યુ. આ બિલ હેઠળ દેશમાં આવેલા શરણાર્થીઓને મળનારી નાગરિકતાને લઈ નિયમ બદલાઈ જશે. કેન્દ્ર સરકારના આ કાયદાનો વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે અને આ બિલને ભારતના મૂળ નિયમોની વિરૂદ્ધ જણાવી રહી છે. જાણો નાગરિક […]

નાગરિકતા સંશોધન બિલ: નાગરિકતાના શું છે નિયમ? જાણો સરકાર શું ફેરફાર કરવા જઈ રહી છે
Follow Us:
| Updated on: Dec 09, 2019 | 8:38 AM

કલમ 370, NRC પછી હવે મોદી સરકારે એક મોટું પગલું ભર્યુ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યુ. આ બિલ હેઠળ દેશમાં આવેલા શરણાર્થીઓને મળનારી નાગરિકતાને લઈ નિયમ બદલાઈ જશે. કેન્દ્ર સરકારના આ કાયદાનો વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે અને આ બિલને ભારતના મૂળ નિયમોની વિરૂદ્ધ જણાવી રહી છે.

modi government citizen amendment bill details in 10 points nagrikta na shu che niyam jano sarkar shu ferfar karva jai rahi che

જાણો નાગરિક સંશોધન બિલથી જોડાયેલી 10 વાતો

1. મોદી સરકાર જે નવું બિલ લાવી રહી છે, તેને નાગરિક સંશોધન બિલ 2019 નામ આપ્યું છે. આ બિલ આવવાથી સિટિઝન એક્ટ 1955માં ફેરફાર થશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

2. મોદી સરકારના આ બિલ હેઠળ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનથી આવનારા હિન્દુ, શીખ, બોદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયના શરર્ણાથીઓને ભારતની નાગરિકતા આપવાની વાત કહેવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

3. તેની સાથે જ આ તમામ શરણાર્થીઓને ભારતમાં ગેરકાયદેસર નાગરિક તરીકે ગણવામાં આવશે નહીં. હાલમાં કાયદા હેઠળ ભારતમાં ગેરકાયદેસર રીતથી આવેલા લોકોને તેમના દેશમાં પરત મોકલવા કે પછી કસ્ટડીમાં લેવાની વાત છે.

4. આ તમામ શરણાર્થીઓને ભારતમાં હવે નાગરિકતા લેવા માટે ઓછામાં ઓછા 6 વર્ષનો સમય પસાર કરવો પડશે. પહેલા આ સમયમર્યાદા 11 વર્ષ માટે હતી.

5. અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમના ઈનર લાઈન પરમિટ એરિયાને આ બિલથી બહાર રાખવામાં આવ્યા છે. તે સિવાય આ બિલ નોર્થ ઈસ્ટના છઠ્ઠા શેડ્યુલનો પણ બચાવ કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

6. નવા કાયદા મુજબ અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ-પાકિસ્તાનથી આવેલા કોઈ પણ હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, ઈસાઈ નાગરિક જે 31 ડિસેમ્બર 2014થી પહેલા ભારતમાં આવેલા હોય, તેને ગેરકાયદેસર નાગરિક નહીં માનવામાં આવે.

7. તેમાંથી જે પણ નાગરિક OCI હોલ્ડર છે. જો તેમને કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યુ છે તો તેને એક વખત તેમની વાત મુકવાની તક આપવામાં આવશે.

8. આ બિલનો વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે અને ભારતના બંધારણનું ઉલ્લંઘન જણાવી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે કેન્દ્ર સરકાર જે બિલ લાવી રહ્યું છે, તે દેશમાં ધર્મના આધારે વિતરણ કરશે, જે સમાનતાના અધિકારની વિરુદ્ધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

9. ઉત્તર-પૂર્વમાં બિલનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે, ઉત્તર-પૂર્વના લોકોનું માનવું છે કે બાંગ્લાદેશથી વધારેમાં વધારે હિન્દુ આવીને અસમ, અરૂણાચલ, મણિપુર જેવા રાજ્યોમાં આવીને વસવાટ કરે છે. ઉત્તર-પૂર્વના રાજ્યો માટે સારૂ રહેશે નહીં. ઉત્તર-પૂર્વમાં ઘણા વિદ્યાર્થી સંગઠન, રાજકીય પાર્ટીઓ આ બિલના વિરોધમાં છે.

10. NDAમાં ભાજપની સાથી પાર્ટી અસમ ગણ પરિષદે પણ આ બિલનો વિરોધ કર્યો છે. બિલ લોકસભામાં આવવા પર તે ગઠબંધનથી અલગ થયા હતા. ત્યારે કાર્યકાલ પુરો થવા પર જ્યારે બિલ ખત્મ થયું તો તે પાર્ટીમાં પરત જોડાયા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">