રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો વિરુદ્ધ કાઢ્યો મોર્ચો
હિંદુત્વના રસ્તા પર ઝડપથી આગળ વધી રહેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો સામે મોર્ચો કાઢ્યો. પાર્ટી પ્રમુખ રાજ ઠાકરેએ આ મોર્ચાનું નેતૃત્વ કર્યું. આ મોરચા પહેલા કાર્યકર્તાઓ રામ મંદિરમાં આરતી ઉતારી, તો છત્રપતિ શિવાજી મહારાજને દુગ્ધાભિષેક પણ કર્યો. અનેક કાર્યકર્તાઓ વેશભુષામાં જોવા મળ્યા તો કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનો […]
હિંદુત્વના રસ્તા પર ઝડપથી આગળ વધી રહેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો સામે મોર્ચો કાઢ્યો. પાર્ટી પ્રમુખ રાજ ઠાકરેએ આ મોર્ચાનું નેતૃત્વ કર્યું. આ મોરચા પહેલા કાર્યકર્તાઓ રામ મંદિરમાં આરતી ઉતારી, તો છત્રપતિ શિવાજી મહારાજને દુગ્ધાભિષેક પણ કર્યો. અનેક કાર્યકર્તાઓ વેશભુષામાં જોવા મળ્યા તો કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો.
&
આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!
મનસેનો આ મોર્ચો દક્ષિણ મુંબઈના ગિરગાવ ચોપાટી પાસે હિંદૂ જિમખાનાથી શરૂ થયો અને મેટ્રો થિયેટરથી સી.એસ.ટી સામે આઝાદ મેદાન સુધી જઈ જનસભા સાથે પૂર્ણ થયો. આ આયોજનને સફળ બનાવવા માટે MNSએ પુરી તાકાત લગાવી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો