ગુજરતમાંથી બાળકો થઇ રહ્યા છે ગુમ, છેલ્લા એક વર્ષમાં આટલા બાળકો ગુમ થવાની નોંધાઈ ફરિયાદ
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્ર સરકાર દ્વારા નવુ સ્લગોન આપવામા આવ્યુ છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ અને સૌનો વિશ્વાસ’. જો કે વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્યમાં જ આ સ્લોગન લાગુ પડી ન રહ્યું હોય એવુ લાગી રહ્યું છે. સરકારી ચોપડે તંત્ર તથા મંત્રીઓ દ્વારા સલામત ગુજરાતની વાત તો કરવામાં આવે છે, પરંતુ વિધાનસભામાં પૂછાયેલા સવાલોએ તમામ […]
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્ર સરકાર દ્વારા નવુ સ્લગોન આપવામા આવ્યુ છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ અને સૌનો વિશ્વાસ’. જો કે વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્યમાં જ આ સ્લોગન લાગુ પડી ન રહ્યું હોય એવુ લાગી રહ્યું છે.
સરકારી ચોપડે તંત્ર તથા મંત્રીઓ દ્વારા સલામત ગુજરાતની વાત તો કરવામાં આવે છે, પરંતુ વિધાનસભામાં પૂછાયેલા સવાલોએ તમામ વાયદાઓ અને દાવાઓના લીરે લીરા ઉડાવી દીધા છે. તમને જાણીને નવાઇ લાગશે કે છેલ્લા એક વર્ષમાં રાજ્યભરમાંથી 2,307 બાળકો ગાયબ થવાના કિસસા બન્યા છે. આ એ આંકડાઓનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જે સરકારી ચોપડે નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સરકારી ચોપડે એન્ટ્રી ન થઇ હોયએ આંકડો કેટલે પહ્યોંચ્યો હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. મંગળવારે રાજ્યસરકારના વિધાનસભા સત્રની શરૂઆત થઇ છે. જયા સરકાર દ્વારા બજેટ તો જાહેર કરવામા આવ્યુ અને અનેક યોજનાઓની પણ જાહેરાત કરવામા આવી. પરંતુ ગુમ થઇ રહેલા બાળકો મુદ્દે કેવા પ્રકારના પગલા લેવામાં આવશે એ અંગે હજુ કોઇ સ્પષટતા કરવામાં આવી નથી.
નવાઇની વાત એ છે કે જ્યારે ગૃહમાં આ મુદ્દે ચર્ચા કરવામા આવી ત્યારે આ અંગે ખુલાસો કરતા રાજય ગૃહપ્રધાન પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે 2,307 ગુમ થયેલા બાળકોમાંથી 1,804 બાળકોને પરત લાવવામાં સફળતા મળી છે. જો કે મોટા ભાગે પ્રેમ પ્રકરણના કારણે 14 થી 18 વર્ષની વયના બાળકો ગુમ થતા હોય છે. આ પ્રકારનો મૌખિક જવાબ આપી તંત્રનો લુલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે તેમના આ જવાબ માટે કોઇ પ્રકારના લેખિત પુરાવા રજૂ કરવામાં રાજ્ય ગૃહપ્રધાન અસમર્થ રહ્યાં હતા. જો સરકારી દાવાઓ પર એક વાર વિશ્વાસ કરવામાં આવે તો પણ હજુ સુધી 497 બાળકોનો કોઇ અતો પતો નથી. ચોંકવાનારી બાબત એ પણ છે કે આ 497 બાળકો 5 વર્ષથી 18 વર્ષ સુઘીની અલગ અલગ વય મર્યાદાના છે.
[yop_poll id=”1″]
ત્યારે બાળકોના વિવિઘ મુદ્દે NGO ચલાવતા શીતલ પટેલે આ મુદ્દે ચર્ચા કરતા જણાવ્યું કે નાની વયના બાળકો ગુમ થવાએ ગંભીર બાબત છે. તેમના જીવ જોખમમાં હોય શકે છે, સાથે જ ક્યાંક બાળ મજૂરી કે ગુનાખોરીમાં બાળકોનો દુરુપયોગ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 800થી વધુ લોકોએ ધર્મપરિવર્તન કરવા માટે સરકાર પાસે માંગી પરવાનગી
બાળકો ગુમ થવાની ઘટનામાં અમદાવાદ તથા રાજકોટ મોખરે છે. અમદાવાદમાંથી છેલ્લા એક વર્ષમા 431 બાળકો જ્યારે રાજકોટમાંથી 247 બાળકો ગુમ થવાની ઘટના બની છે. ત્યારે આ ઘટનાઓ આગામી દિવસમાં અણધારી આફતને દસ્તક આપતા હોય એવી લાગી રહ્યુ છે.
શહેરમાં ગુમ થયેલા બાળકો અને પરત મળેલા બાળકોની યાદી
શહેર ગુમ થયેલા બાળકો પરત બાળકો પંચમહાલ 30 22 જૂનાગઢ 85 57 પોરબંદર 25 21 ગાંધીનગર 112 86 પાટણ 56 43 અમદાવાદ શહેર 431 369 અમદાવાદ ગ્રામ્ય 63 52 ખેડા 88 76 સુરેન્દ્રનગર 49 35 અરવલ્લી 41 28 ડાંગ 3 3 વલસાડ 84 59 મહેસાણા 100 85 અમરેલી 92 58 ગીર સોમનાથ 37 28 છોટા ઉદેપુર 26 16 આણંદ 71 51 નર્મદા 24 21 ભાવનગર 115 83 બોટાદ 35 29 રાજકોટ શહેર 124 93 રાજકોટ ગ્રામ્ય 123 83 દેવભૂમિ દ્વારકા 22 20 કચ્છ 80 74 બનાસકાંઠા 106 79 મોરબી 51 43 જામનગર 75 56 તાપી 25 23 નવસારી 41 40 સાબરકાંઠા 72 57 મહિસાગર 21 4 કુલ 2307 1804
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]