શાહીનબાગ પ્રદર્શનકારીઓ સાથે મધ્યસ્થીઓએ કરી મુલાકાત, જાણો આજે શું થયું?
શાહીનબાગ ખાતે સુપ્રીમકોર્ટના આદેશ મુજબ પ્રદર્શનકારીઓની સાથે વાતચીત કરીને વિવાદનો અંત લાવવા માટે વરિષ્ઠ વકિલ સંજય હેગડે અને સાધના રામચંદ્રન પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે 66 દિવસથી શાહીનબાગ ખાતે પ્રદર્શન ચાલી રહ્યું છે અને આ પ્રદર્શનનો નિવેડો વાતચીત દ્વારા લાવવા સુપ્રીમ કોર્ટે નિમણૂક કરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
શાહીનબાગ ખાતે સુપ્રીમકોર્ટના આદેશ મુજબ પ્રદર્શનકારીઓની સાથે વાતચીત કરીને વિવાદનો અંત લાવવા માટે વરિષ્ઠ વકિલ સંજય હેગડે અને સાધના રામચંદ્રન પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે 66 દિવસથી શાહીનબાગ ખાતે પ્રદર્શન ચાલી રહ્યું છે અને આ પ્રદર્શનનો નિવેડો વાતચીત દ્વારા લાવવા સુપ્રીમ કોર્ટે નિમણૂક કરી છે.
સાધના રામચંદ્રન અને વરિષ્ઠ વકીલ સંજય હેગડે શાહીનબાગ ખાતે પ્રદર્શનકારીઓને મળવા માટે પહોંચ્યા હતા. આ મધ્યસ્થોએ શાહીનબાગ ખાતે મીડિયાને સાથે રાખીને વાત કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ બાદ મીડિયાકર્મીઓને દૂર લઈ જવામાં આવ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે મધ્યસ્થીઓએ બાંહેધરી આપી હતી કે તેઓ પ્રદર્શનકારીઓની સાથે વાત કરીને વિગતો મીડિયાની સામે મુકશે. આ વાત પ્રદર્શનકારીઓએ પણ સ્વીકારી હતી. જ્યાં સંજય હેગડેએ સુપ્રીમ કોર્ટનો ચુકાદો વાંચીને સંભળાવ્યો હતો. રામચંદ્રને કહ્યું કે જેવી રીતે તમારો અધિકાર પ્રદર્શન કરવાનો છે તેવી રીતે જ અન્ય લોકોનો અધિકાર ઓફિસ સમયસર પહોંચવાનો છે. બાળકોને સ્કૂલે જવાનો છે. આમ આજે આજના દિવસે મધ્યસ્થોએ વાત કરી હતી અને તેઓ ફરીથી કાલે શાહીનબાગ ખાતે પહોંચશે અને લોકોની સાથે ચર્ચાથી આ મુદાનો અંત લાવવા માટે કવાયત કરશે.
જો કે આજના દિવસે વાતચીતથી મધ્યસ્થીઓ કોઈ નિવેડો લાવી શકયા નહોતા. આથી તેઓએ કહ્યુ કે લોકો વધારે હોવાથી એક દિવસમાં વાત ના કરી શકાય. આથી અમે ઈચ્છી રહ્યાં છીએ કાલે પણ લોકોની સાથે વાત કરીએ. આમ આ મુદે કાલે પણ મધ્યસ્થો પણ વાતચીત કરવા માટે જઈ શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]