કોરોના વાયરસ વચ્ચે ચીનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અંગે વિદેશ પ્રધાન એસ.જયશંકરનું નિવેદન
કોરોના વાયરસને લઈને વિદેશ પ્રધાન એસ.જયશંકરે નિવેદન આપ્યું છે. વડોદરા પહોંચેલા કેન્દ્રિય વિદેશ પ્રધાન એસ.જયશંકરે ચીનમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાની વાત કહી છે. સાથે કહ્યું કે, સરકાર સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. વિદ્યાર્થીઓને લેવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસ સામે લડવા સજ્જ બની છે. […]
કોરોના વાયરસને લઈને વિદેશ પ્રધાન એસ.જયશંકરે નિવેદન આપ્યું છે. વડોદરા પહોંચેલા કેન્દ્રિય વિદેશ પ્રધાન એસ.જયશંકરે ચીનમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાની વાત કહી છે. સાથે કહ્યું કે, સરકાર સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. વિદ્યાર્થીઓને લેવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસ સામે લડવા સજ્જ બની છે. રાજ્યમાં તમામ એરપોર્ટ પર કોરોના વાયરસથી સાવચેતીના બેનર લગાવાયા છે. અમદાવાદ એરપોર્ટ પર મેડિકલ આસિસ્ટન્ટની ટીમ અને એમ્બ્યુલસન્સ મુકવામાં આવી છે. રાજ્યના આરોગ્ય કમિશનરે કહ્યું કે, લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી. ગુજરાતની રેપિડ ટીમ જરૂરી સાધનો, માસ્ક અને ખાસ સૂટ સાથે સજ્જ છે. રાજ્યની પીએમસીસીમાં 2 ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત પૂણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરલમાં જરૂરી ટેસ્ટ માટેની તૈયારીઓ કરવામાં આવી છે.
ચીનના વુહાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા તંત્ર સજ્જ છે. મુખ્યપ્રધાન અને ડેપ્યુટી મુખ્યપ્રધાન વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. ગુજરાતના 10 વિદ્યાર્થીઓ સહિત 20 લોકો ચીનમાં હોવાની માહિતી મળી છે. ચીનના અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો