મસૂદ પર ઘાતક પ્રહાર, ભારતને વધુ લોહીલુહાણ કરવાના કારસા પર હવાઈ હુમલો, જૈશનો સૌથી મોટા આતંકી ટ્રેનિંગ કૅમ્પ તબાહ, મસૂદનો સાળો ચલાવતો હતો કૅમ્પ, જૈશના અનેક સીનિયર કમાન્ડો માર્યા ગયા

ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરેલી ઍર સ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદના અનેક સીનિયર કમાન્ડર ઠાર કરાયા છે. વાયુસેનાએ જૈશનો સૌથી મોટો આતંકી કૅમ્પ નષ્ટ કર્યો છે. TV9 Gujarati   Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો […]

મસૂદ પર ઘાતક પ્રહાર, ભારતને વધુ લોહીલુહાણ કરવાના કારસા પર હવાઈ હુમલો, જૈશનો સૌથી મોટા આતંકી ટ્રેનિંગ કૅમ્પ તબાહ, મસૂદનો સાળો ચલાવતો હતો કૅમ્પ, જૈશના અનેક સીનિયર કમાન્ડો માર્યા ગયા
Follow Us:
| Updated on: Feb 26, 2019 | 6:55 AM

ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરેલી ઍર સ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદના અનેક સીનિયર કમાન્ડર ઠાર કરાયા છે. વાયુસેનાએ જૈશનો સૌથી મોટો આતંકી કૅમ્પ નષ્ટ કર્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વિદેશ સચિવ વિજય ગોખલેએ વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇક અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકૂ વિમાનોએ પીઓકેના બાલાકોટમાં આવેલા આતંકીઓનો જે સૌથી મોટા આતંકી કૅમ્પને તબાહ કર્યો, તે જૈશના ચીફ મૌલાના મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી ચલાવી રહ્યો હતો. આ સર્જિકલ સ્ટ્રાઇકમાં મસૂદનો સાળો માર્યો ગયો છે કે કેમ, તેની પુષ્ટિ નથી થઈ. સરકારે એ પણ નથી જણાવ્યું કે આ સર્જિકલ સ્ટ્રાઇકમાં કેટલા આતંકીઓ માર્યા ગયા છે.

વિજય ગોખલેએ જણાવ્યું કે આ ઑપરેશન ગુપ્તચર બાતમીના આધારે ચલાવવામાં આવ્યું. ભારતે પુરતી માહિતી મળ્યા બાદ જ જૈશ એ મોહમ્મદના સૌથી મોટા ટ્રેનિંગ કૅમ્પ પર હુમલો કર્યો અને આ વાતનો પુરતો ખ્યાલ રાખવામાં આવ્યો કે સર્જિકલ સ્ટ્રાઇકથી સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ન પહોંચે.

ગુપ્તચર એજંસીઓને માહિતી મળી છે કે જૈશ એ મોહમ્મદ પુલવામા આતંકી હુમલા બાદ પણ ભારતના વિવિધ ભાગોમાં વધુ આત્મઘાતી હુમલો કરાવવાની વેતરણમાં છે. સચોટ માહિતી મળ્યા બાદ આ પ્રી-એમ્પ્ટિવ સ્ટ્રાઇક મહત્વની બની ગઈ હતી. ગુપ્તચર ઇનપુટ્સ વહેલી સવારે મળ્યા હતા અને ત્યાર બાદ વાયુસેનાએ આ ઑપરેશન હાથ ધરવાનો નિર્ણય કર્યો.

બાલાકોટમાં જૈશના જે સૌથી મોટા આતંકી કૅમ્પ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો, તે ગાઢ જંગલમાં એક હિલટૉપ પર આવેલુ હતું.

[yop_poll id=1820]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">