મોરબીના પીપળીયા ગામના કાંતિલાલ મુછડિયાનો સમાધી લેવાનો દાવો, પોલીસે કરી આ કાર્યવાહી
મોરબીના પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મુછડિયાએ આગામી 28 નવેમ્બરના રોજ જીવતા સમાધી લેવાનો દાવો કર્યો છે. સમાધી લેવાની જાહેરાત કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો કાંતિલાલના દર્શન કરવા પીપળીયા આવી રહ્યાં છે. જીવતા સમાધી લેવાના મુદ્દે કાંતિલાલનું કહેવું છે કે, 15 વર્ષે પહેલા તેમને શ્વાન કરડ્યું હતું. અને તેના સપનામાં નવઘણદાદા આવ્યા હતા. જેમણે રોગમાંથી મુક્તિ […]
મોરબીના પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મુછડિયાએ આગામી 28 નવેમ્બરના રોજ જીવતા સમાધી લેવાનો દાવો કર્યો છે. સમાધી લેવાની જાહેરાત કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો કાંતિલાલના દર્શન કરવા પીપળીયા આવી રહ્યાં છે.
જીવતા સમાધી લેવાના મુદ્દે કાંતિલાલનું કહેવું છે કે, 15 વર્ષે પહેલા તેમને શ્વાન કરડ્યું હતું. અને તેના સપનામાં નવઘણદાદા આવ્યા હતા. જેમણે રોગમાંથી મુક્તિ અપાવી હતી. અને દેહત્યાગ કરવા કહ્યું હતું. કાંતિલાલ જણાવે છે કે, નવઘણદાદાએ તેને જીવતા સમાધી લેવાની વાત સપનામાં કહી છે. જેથી તે જીવતા સમાધી લેવાના છે.
આ પણ વાંચોઃ સાબરકાંઠામાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલનો અનોખો વિરોધ, MLAની ગ્રાન્ટ ક્યાં ગઈ?
જો કે સમગ્ર ઘટના બાદ જિલ્લા SP આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી. અને કોઈ વ્યક્તિ આ રીતે સમાધી ધારણ કરશે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો