મહાશિવરાત્રીના દિવસે કેવી રીતે કરશો ભગવાન શિવની પૂજા? જાણો શુભ મૂર્હુત વિશે
શિવરાત્રીનો તહેવાર છે અને ભક્તોની ભીડ શિવમંદિરમાં જામી છે. આ તહેવાર 21 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવી રહ્યો છે. પૂજાની સાથે વ્રત પણ ભક્તો આ દિવસે રાખે છે. અમે તમને જણાવીશું કે આ દિવસે કેવી રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]
શિવરાત્રીનો તહેવાર છે અને ભક્તોની ભીડ શિવમંદિરમાં જામી છે. આ તહેવાર 21 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવી રહ્યો છે. પૂજાની સાથે વ્રત પણ ભક્તો આ દિવસે રાખે છે. અમે તમને જણાવીશું કે આ દિવસે કેવી રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
આ પણ વાંચો : જાણો શા માટે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી અને શું છે પૌરાણિક મહત્વ?
મહાશિવરાત્રી ભગવાન શંકરની પૂજાનો સૌથી સારો દિવસ માનવામાં આવે છે. આથી આ દિવસે વિધિવત રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શિવ પૂજા માટે એક શુદ્ધ પાત્ર લો અને તેમાં જળ ભરીને ગાયનું દૂધ, બિલિપત્ર ઉમેરીને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. આ ઉપરાંત ભગવાન શિવનો અભિષેક દૂધ અથવા ગંગાજળથી કરવામાં આવે તો પણ શુભ માનવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહાશિવરાત્રી માટે શુભમૂર્હુત ક્યારે?
ચતુર્દશી તિથિનો પ્રારંભ સાંજે 5 વાગીને 20 મિનિટ 21 ફેબ્રુઆરીના રોજ થતો હોવાથી આ દિવસને શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ચતુદર્શી તિથિ સમાપ્તિને પણ શુભ માનવામાં આવે છે તો 22 ફેબ્રુઆરીના દિવસે સાંજે 7 વાગીને 2 મિનિટ પર પૂજા કરવી યોગ્ય રહેશે. આમ આ બંને મૂર્હુત પૂજા માટે સારા ગણવામાં આવે છે અને તે દરમિયાન ભગવાન શિવની પૂજા કરી શકાય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]