મહારાષ્ટ્રમાં નવા વર્ષના શુભ દિવસે જ ધાર્મિક સ્થળો ખુલ્યાં, મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તો ઉમટયાં
મહારાષ્ટ્રમાં નવા વર્ષના શુભ દિવસે જ ધાર્મિક સ્થળો ખુલ્યા. મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોએ ઑનલાઈન નોંધણી બાદ દર્શન કર્યા. નવા વરસે ગણપતિ દાદાના દર્શનનો લ્હાવો માણીને ભક્તોએ ધન્યતા અનુભવી. જોકે મંદિરોમાં શ્રદ્ધાળુઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ફરજીયાત કરવાનું રહેશે. આ ઉપરાંત મંદિર તંત્ર દ્વારા સેનેટાઈઝર અને ટેમ્પરેચર ગન, ઓક્સિમીટર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી […]
મહારાષ્ટ્રમાં નવા વર્ષના શુભ દિવસે જ ધાર્મિક સ્થળો ખુલ્યા. મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોએ ઑનલાઈન નોંધણી બાદ દર્શન કર્યા. નવા વરસે ગણપતિ દાદાના દર્શનનો લ્હાવો માણીને ભક્તોએ ધન્યતા અનુભવી. જોકે મંદિરોમાં શ્રદ્ધાળુઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ફરજીયાત કરવાનું રહેશે. આ ઉપરાંત મંદિર તંત્ર દ્વારા સેનેટાઈઝર અને ટેમ્પરેચર ગન, ઓક્સિમીટર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોનાને પગલે મહારાષ્ટ્રમાં લાંબા સમયથી તમામ ધાર્મિક સ્થળો બંધ હતા. ઉદ્ધવ ઠાકરે સરકારે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને દરગાહો ખોલવાની પરવાનગી આપી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો