મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારમાં મંત્રીપદની વહેંચણી, જાણો કોના ખાતામાં કયું ‘ખાતું’
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારમાં વિભાગની વહેંચણી થઈ ચૂકી છે. જેમાં શરદ પવારના ભત્રીજા અને NCP ધારાસભ્ય અજીત પવારને નાયબ મુખ્યપ્રધાનના પદ પછી નાણાં વિભાગ સોંપાયો છે. સાથે NCP નેતા અનિલ દેશમુખને ગૃહમંત્રી બનાવ્યા છે. આ પણ વાંચોઃ ટેલિગ્રામના આ 5 નવા અપડેટ ફિચર્સ વિશે જાણીને બીજી ચેટિંગ એપને ભૂલી જશો! તો સાથે શિવસેનાના નેતા […]
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારમાં વિભાગની વહેંચણી થઈ ચૂકી છે. જેમાં શરદ પવારના ભત્રીજા અને NCP ધારાસભ્ય અજીત પવારને નાયબ મુખ્યપ્રધાનના પદ પછી નાણાં વિભાગ સોંપાયો છે. સાથે NCP નેતા અનિલ દેશમુખને ગૃહમંત્રી બનાવ્યા છે.
આ પણ વાંચોઃ ટેલિગ્રામના આ 5 નવા અપડેટ ફિચર્સ વિશે જાણીને બીજી ચેટિંગ એપને ભૂલી જશો!
તો સાથે શિવસેનાના નેતા એકનાથ શિંદેને શહેરી વિકાસ વિભાગ, તો કોંગ્રેસના બાલા સાહેબ થોરાટને રાજસ્વ વિભાગ સોંપ્યો છે. આ સાથે અશોક ચૌહાણને PWD મંત્રી બનાવ્યા છે.
NCP નેતાઓને કયા-કયા ખાતા?
અનિલ દેશમુખ-ગૃહ વિભાગ અજીત પવાર- નાણા અને નિયોજન જયંત પાટિલ – જલ સંશાધન (સિંચાઈ) છગન ભુજબલ – ફૂડ અને સિવિલ સપ્લાઈ દિલીપ વાલ્સે પાટીલ – એક્સાઈઝ એન્ડ લેબર જિતેન્દ્ર અવહાદ – આવાસ રાજેશ તોપે- સ્વાસ્થય વિભાગ રાજેન્દ્ર શિંગને – ખાધ અને ઔષધિ વિભાગ ધનંજય મુંડે – સામાજિક ન્યાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોંગ્રેસના નેતાઓને કયા વિભાગ ?
નીતિન રાઉત -ઉર્જા વિભાગ બાલા સાહેબ થોરાટ – રાજસ્વ વર્ષા ગાયકવાડ – સ્કૂલ શિક્ષા યશોમતિ ઠાકુર – મહિલા અને બાળ કલ્યાણ કેસી પાડવી – આદિવાસી વિકાસ સુનિલ કેદાર – ડેરી વિકાસ અને પશુ સંવર્ધન વિજય વડ્ડેટીવાર – ઓબીસી કલ્યાણ અસલમ શેખ – કપડા, બંદર અમિત દેશમુખ – સ્વાસ્થય, શિક્ષણ અને સંસ્કૃતિ
શિવસેના પાસે કયા વિભાગ?
આદિત્ય ઠાકરે – પર્યાવરણ, પ્રવાસન એકનાથ શિંદે – નગરવિકાસ PWD સુભાષ દેસાઈ – ઉદ્યોગ સંજય રાઠોડ – વન વિભાગ દાદા ભૂસે – કૃષિ અનિલ પરબ – પરિવહન, સંસદીય કાર્ય સંદીપાન ભૂમરે – રોજગાર હમી (EGS) શંકરરાવ ગડાખ – જલ સંરક્ષણ ઉદય સામંત – ઉચ્ચ અને ટેક્નોલોજી શિક્ષણ વિભાગ ગુલાબરાવ પાટિલ – પાણી પુરવઠા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો