મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCP પ્રમુખ શરદ પવારે Tweet દ્વારા અજીત પવારના દાવાઓનો આપ્યો જવાબ
અજીત પવારના ટ્વીટ પછી NCP પ્રમુખ શરદ પવારે પણ ટ્વીટરનો સહારો લીધો છે. શરદ પવારે જવાબ આપતા કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધન કરવાનો કોઈ સવાલ જ નથી. પોતાના ભત્રીજા અજીત પવારના નિવેદનને પણ ખોટું અને ભ્રામક ગણાવ્યું છે. NCP Chief, Sharad Pawar: There is no question of forming an alliance with BJP. NCP has unanimously […]
અજીત પવારના ટ્વીટ પછી NCP પ્રમુખ શરદ પવારે પણ ટ્વીટરનો સહારો લીધો છે. શરદ પવારે જવાબ આપતા કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધન કરવાનો કોઈ સવાલ જ નથી. પોતાના ભત્રીજા અજીત પવારના નિવેદનને પણ ખોટું અને ભ્રામક ગણાવ્યું છે.
NCP Chief, Sharad Pawar: There is no question of forming an alliance with BJP. NCP has unanimously decided to ally with Shiv Sena & Congress to form government. Shri Ajit Pawar’s statement is false and misleading in order to create confusion and false perception among the people. pic.twitter.com/PNTByo84s0
— Tv9 Gujarati (@tv9gujarati) November 24, 2019
આ પણ વાંચોઃ ભાજપે ‘ઓપરેશન લોટસ’ની કરી શરુઆત, શું બચાવી શકશે મહારાષ્ટ્રમાં સરકાર?
અજીત પવારે ટ્વીટ દ્વારા શરદ પવારને પોતાના નેતા ગણાવ્યા હતા અને ભાજપ સાથે મળી મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપવાનો વાયદો કર્યો હતો. જે પહેલા અજીત પવારે PM મોદી, અમિત શાહ સહિત ભાજપના નેતાઓનો આભાર માન્યો હતો. સાથે કહ્યું હતું કે, ભાજપ-NCPની સરકાર જનહિતમાં કામ કરશે.અજીત પવારે એક ટ્વીટમાં વિશ્વાસ સાથે કહ્યું કે, હું NCPમાં છું અને હંમેશા રહીશ. અને શરદ પવાર સાહેબ અમારા નેતા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો