NCP નેતા શરદ પવાર અને દિલ્હીમાં PM મોદી વચ્ચે મુલાકાત, મહારાષ્ટ્રની ચૂંટણીમાં નવા સમીકરણની ચર્ચા
NCP નેતા શરદ પવાર આજે દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. બંનેની મુલાકાતને લઈ મહારાષ્ટ્રની ચૂંટણીમાં નવા સમીકરણની સંભાવના ચાલી રહી છે. જો કે શરદ પવારે કહ્યું કે, આ મુલાકાત માત્ર ખેડૂતોના મુદ્દે હતી. અને PM મોદીને તેમણે એક પત્ર પણ સોંપ્યો છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત […]
NCP નેતા શરદ પવાર આજે દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. બંનેની મુલાકાતને લઈ મહારાષ્ટ્રની ચૂંટણીમાં નવા સમીકરણની સંભાવના ચાલી રહી છે. જો કે શરદ પવારે કહ્યું કે, આ મુલાકાત માત્ર ખેડૂતોના મુદ્દે હતી. અને PM મોદીને તેમણે એક પત્ર પણ સોંપ્યો છે.
પત્રમાં શરદ પવારે લખ્યું કે…
મે 2 જિલ્લામાં પાક નુકસાનના આંકડાઓને પ્રાપ્ત કર્યા છે. પરંતુ કમોસમી વરસાદથી મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં નુકસાન પણ થયું છે. જેમાં મરાઠવાડા અને વિદર્ભ પણ જોડાયેલું છે. અને હું તેના વિશે જ માહિતી અને પરિસ્થિતિનું તારણ કઢાવી રહ્યો છું. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના કારણે તમારો હસ્તક્ષેપ તાત્કાલિક જરૂર છે. જો તમે મોટાપ્રમાણમાં રાહતના ઉપાયની શરૂ અને સંકટગ્રસ્ત ખેડૂતો માટે પગલા ભરશો તો હું આભારી રહીશ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહારાષ્ટ્રમાં વિધાનસભાના પરિણામ આવ્યાના એક મહિનો પૂરો થઈ ગયો છે. પરંતુ એ વાત સ્પષ્ટ થઈ નથી કે, સરકાર કોણ બનાવશે. જો કે NCP અધ્યક્ષ શરદ પવાર પાસે આ વાતનો જવાબ છે. પરંતુ શરદ પવાર કોઈ પત્તા ખોલવા તૈયાર નથી. અને તેઓ મુંબઈ છોડીને દિલ્હીમાં વધારે સમય પસાર કરી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો