મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં વિવાદ પછી અમિત શાહનું નિવેદન, PM મોદીએ પહેલા જ કરી હતી સ્પષ્ટતા
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે ગઠબંધનમાં વિવાદ બાદ અમિત શાહે પ્રથમ વખત નિવેદન આપ્યું છે. અમિત શાહે ઉલ્લેખ કરતા કહ્યું કે, ચૂંટણી પહેલા PM મોદીએ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, અમારા ગઠબંધનનું લક્ષ્ય જીત મેળવવાનું છે. અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ હશે. અને શિવસેના હવે નવી માગણી કરી રહી છે. જેને અમે સ્વીકારી શકીએ નહીં. […]
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે ગઠબંધનમાં વિવાદ બાદ અમિત શાહે પ્રથમ વખત નિવેદન આપ્યું છે. અમિત શાહે ઉલ્લેખ કરતા કહ્યું કે, ચૂંટણી પહેલા PM મોદીએ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, અમારા ગઠબંધનનું લક્ષ્ય જીત મેળવવાનું છે. અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ હશે. અને શિવસેના હવે નવી માગણી કરી રહી છે. જેને અમે સ્વીકારી શકીએ નહીં.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કેમ સરકારથી નારાજ છે કિસાન સંઘ, પરિવાર ક્ષેત્રની જ સંસ્થાઓ મતભેદ કે મનભેદ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અમિત શાહે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીનો પણ બચાવ કર્યો છે. રાજકીય પાર્ટીઓને સમય આપવા મુદ્દે કહ્યું કે, આટલો સમય કોઈપણ રાજ્યમાં સરકાર બનાવવા માટે અપાતો નથી. રાજ્યપાલે 18 દિવસ આપ્યા હતા. વિધાનસભાનો કાર્યકાલ પુરો થયા પછી પણ આમંત્રણ અપાયું હતું. આમ છતાં જો કોઈ પાર્ટી બહુમતના આંકાડા સાથે સરકાર બનાવવા માગતી હોય તો તે રાજ્યપાલ પાસે જઈ શકે છે. સાથે કપિલ સિબ્બલ પર પણ પ્રહાર કર્યો હતો. શાહે કહ્યું કે, કપિલ સિબ્બલ જેવા અનુભવી વકીલ પણ ખોટી દલિલો કરી રહ્યા છે કે, અમને સરકાર બનાવવાની તક આપી નથી.