મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCPના નેતાઓ અજીત પવારને મનાવવા પહોંચ્યા
મહારાષ્ટ્રની રાજનીતિમાં એક-એક ઘડી નવા પાત્રો સામે આવી રહ્યા છે. NCPનો સાથ છોડી ભાજપની સાથે જનારા અજીત પવારને મનાવવાની કોશિશ ચાલી રહી છે. સોમવારે છગન ભૂજબલ સહિત અનેક NCPના નેતાઓએ અજીત પવાર સાથે મુલાકાત કરી હતી. પરંતુ મનાવવાના દાવમાં નિષ્ફળ ગયા છે. લાંબી મુલાકાત પછી છગન ભુજબલ બહાર નીકળ્યા તો અજીત પવાર પણ વિધાનસભાથી સીધા […]
મહારાષ્ટ્રની રાજનીતિમાં એક-એક ઘડી નવા પાત્રો સામે આવી રહ્યા છે. NCPનો સાથ છોડી ભાજપની સાથે જનારા અજીત પવારને મનાવવાની કોશિશ ચાલી રહી છે. સોમવારે છગન ભૂજબલ સહિત અનેક NCPના નેતાઓએ અજીત પવાર સાથે મુલાકાત કરી હતી. પરંતુ મનાવવાના દાવમાં નિષ્ફળ ગયા છે. લાંબી મુલાકાત પછી છગન ભુજબલ બહાર નીકળ્યા તો અજીત પવાર પણ વિધાનસભાથી સીધા પોતાના ઘર તરફ રવાના થયા હતા.
સોમવાર સવારે NCP નેતા જ્યારે અજીત પવારને મનાવવા ગયા ત્યારે અજીત પવારને ફરી જોડાવવાની વાત કરી છે. સૂત્રો પ્રમાણે NCPના નેતાઓએ અજીત પવારને એ વાતથી પણ અવગત કર્યા કે, જો ફ્લોર ટેસ્ટ થશે તો, તેમની હાર નિશ્ચિત છે. પરંતુ NCP ચાહે છે કે, અજીત પવાર પરત આવે અને પરિવાર ઉપર પણ કોઈ અસર ન થાય. મહત્વનું છે કે, અજીત પવારને આજે જ ઉપમુખ્યમંત્રીનું પદ સંભાળવા તેમના વિભાગમાં જવાનું હતું. પરંતુ તેઓ જઈ શક્યા નહી. તો બીજી તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો