VIDEO: આવતીકાલે ઠાકરે સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ, તૈયારીઓને અપાયો આખરી ઓપ
ઠાકરે સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ આવતીકાલે થશે. જેને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા પણ તેજ કરી દેવામાં આવી છે. ખાતાને લઈને શિવસેના અને એનસીપી વચ્ચે ખેંચતાણ ચાલુ છે. ગૃહ, આવાસ વિભાગ એનસીપી છોડવા નથી માગતી તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત […]
ઠાકરે સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ આવતીકાલે થશે. જેને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા પણ તેજ કરી દેવામાં આવી છે. ખાતાને લઈને શિવસેના અને એનસીપી વચ્ચે ખેંચતાણ ચાલુ છે. ગૃહ, આવાસ વિભાગ એનસીપી છોડવા નથી માગતી તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
શહેરી વિકાસ પર પણ એનસીપી પોતાનો દાવો મુકી શકે છે. ઘર, આવાસ અને શહેર વિકાસ માટે શિવસેના દાવો માંડી રહી છે. માહિતી અનુસાર 30 પ્રધાનને સોમવારે શપથ આપવામાં આવી શકે છે. 43 પ્રધાનમાંથી 37 પ્રધાન કેબિનેટ પ્રધાન હશે. એક માહિતી અનુસાર આદિત્ય ઠાકરે પણ બીએમસી ચૂંટણી બાદ પ્રધાન મંડળમાં સામેલ થઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો