VIDEO: ઉદ્ધવ ઠાકરે કેબિનેટમાં 36 પ્રધાન શપથગ્રહણ કરશે, અજીત પવાર નાયબ મુખ્યપ્રધાન બનશે
મહારાષ્ટ્રની ઠાકરે સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થશે. મહારાષ્ટ્રમાં કુલ 36 નેતાઓ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. જેમાં 25 કેબિનેટ મંત્રી હશે, જ્યારે 10 રાજ્યમંત્રી હશે. ત્યારે NCP નેતા અજિત પવાર નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. કેબિનેટ મંત્રીના લિસ્ટમાં આદિત્ય ઠાકરે, નવાબ મલિક, ધનંજય મુંડેનું નામ પણ સામેલ છે. Web Stories View more લગ્નન […]
મહારાષ્ટ્રની ઠાકરે સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થશે. મહારાષ્ટ્રમાં કુલ 36 નેતાઓ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. જેમાં 25 કેબિનેટ મંત્રી હશે, જ્યારે 10 રાજ્યમંત્રી હશે. ત્યારે NCP નેતા અજિત પવાર નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. કેબિનેટ મંત્રીના લિસ્ટમાં આદિત્ય ઠાકરે, નવાબ મલિક, ધનંજય મુંડેનું નામ પણ સામેલ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહારાષ્ટ્રમાં PMOની જેમ CMO બનાવવાની તૈયારી છે. જેમાં આદિત્ય ઠાકરેને મોટી જવાબદારી મળી શકે છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયનું સમગ્ર કામકાજને સંભાળવામાં આવશે.
આ વખતે કેબિનેટમાં મુંબઈથી કોઈ ધારાસભ્યને મંત્રી નથી બનાવવામાં આવી રહ્યા, માત્ર આદિત્ય ઠાકરેને જ તક મળી છે. આદિત્ય ઠાકરેને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે આ મોટું પગલું હોઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો