મુંબઈ: મેડિકલ પ્રવેશમાં મરાઠા અનામતની સમસ્યાનો નિવેડો લાવવા સરકાર લાવી શકે છે અધ્યાદેશ
મુંબઈ મેડિકલ પ્રવેશમાં મરાઠા અનામતની સમસ્યાને હલ લાવવા માટે રાજ્ય સરકાર અધ્યાદેશ લાવી શકે છે. ચૂંટણી પંચે આપેલી પરવાનગી બાદ મંત્રીમંડળમાં બેઠક યોજાઈ હતી. જેમાં મેડિકલ પ્રવેશ પર વિવાદ મુદ્દે ચર્ચા થઈ. આ અંગેની જાણકારી આપતા મહેસૂલ પ્રધાન ચંદ્રકાન્ત પાટીલે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી જે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર […]
મુંબઈ મેડિકલ પ્રવેશમાં મરાઠા અનામતની સમસ્યાને હલ લાવવા માટે રાજ્ય સરકાર અધ્યાદેશ લાવી શકે છે. ચૂંટણી પંચે આપેલી પરવાનગી બાદ મંત્રીમંડળમાં બેઠક યોજાઈ હતી. જેમાં મેડિકલ પ્રવેશ પર વિવાદ મુદ્દે ચર્ચા થઈ. આ અંગેની જાણકારી આપતા મહેસૂલ પ્રધાન ચંદ્રકાન્ત પાટીલે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી જે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય.
આ અંગનો નિર્ણય ચૂંટણી પંચની પરવાનગી બાદ જ લેવામાં આવશે. હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને ત્યારે કોઈપણ નવી જાહેરાત કે અધ્યાદેશ માટે ચૂંટણી પંચની મંજૂરી જરુરી હોવાથી પહેલાં ચૂંટણી પંચની મંજૂરી લેવામાં આવશે અને ત્યારબાદ જ કોઈપણ આગળ કાર્યવાહી હાથ ધરાશે. હાલ એટલું સ્પષ્ટ કરી દેવાયું છે કે જે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાયો છે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં.