મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનની જીત, આદિત્ય ઠાકરે બનશે મુખ્યપ્રધાન!
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ગઠબંધને જીત મેળવી છે. પરંતુ પરિણામની સાથે મહારાષ્ટ્રમાં પોસ્ટર લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આ પોસ્ટરમાં આદિત્ય ઠાકરેને ભાવી મુખ્યપ્રધાન જાહેર કરી દેવાયા છે. વરલી બેઠક પરથી ચૂંટણી જીતનારા આદિત્યને મુખ્યમંત્રી બને તેના સમર્થનમાં આ પોસ્ટર લગાવ્યા છે. આ પણ વાંચોઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન, […]
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ગઠબંધને જીત મેળવી છે. પરંતુ પરિણામની સાથે મહારાષ્ટ્રમાં પોસ્ટર લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આ પોસ્ટરમાં આદિત્ય ઠાકરેને ભાવી મુખ્યપ્રધાન જાહેર કરી દેવાયા છે. વરલી બેઠક પરથી ચૂંટણી જીતનારા આદિત્યને મુખ્યમંત્રી બને તેના સમર્થનમાં આ પોસ્ટર લગાવ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન, ગુજરાતના 13માં CM બન્યા હતા
મહારાષ્ટ્રની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં આદિત્ય રહ્યા છે. આદિત્યએ ચૂંટણી લડી અને જીત સાથે ઠાકરે પરિવારની પરંપરાને બદલી નાખી છે. શિવસેનાના 53 વર્ષીય ઈતિહાસમાં ન તો પાર્ટીના સંસ્થાપક બાલા સાહેબે ચૂંટણી લડી, ન ઉદ્ધવ ઠાકરે ક્યારેય ચૂંટણીના ઉમેદવાર બન્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પરંતુ પારિવારિક રાજનીતિ સંભાળવાનો સમય આવ્યો તો આદિત્યએ ભૂતકાળને ભૂલી અને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી દીધુ હતું. વરલીમાંથી ઉમેદવારી નોંધાવી અને જીત પણ મેળવી હતી. તો હવે તેના સમર્થકો દ્વારા તેમને મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રી બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો