પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમાની બીજી વખત તોડફોડ, એક કિશોરની ધરપકડ
પાકિસ્તાનના લાહોરમાં 19મી સદીના શાસક મહારાજા રણજીતસિંહની એક મૂર્તિને અજાણ્યા લોકોએ બર્બરતાપૂર્વક પાડી દીધી છે. મળતી માહિતી મુજબ આ વર્ષની બીજી ઘટના છે, જ્યારે પાકિસ્તાનમાં શીખ શાસકોની પ્રતિમાઓની સાથે બર્બરતા કરવામાં આવી છે. Web Stories View more WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે આજનું રાશિફળ તારીખ : 23-04-2024 […]
પાકિસ્તાનના લાહોરમાં 19મી સદીના શાસક મહારાજા રણજીતસિંહની એક મૂર્તિને અજાણ્યા લોકોએ બર્બરતાપૂર્વક પાડી દીધી છે. મળતી માહિતી મુજબ આ વર્ષની બીજી ઘટના છે, જ્યારે પાકિસ્તાનમાં શીખ શાસકોની પ્રતિમાઓની સાથે બર્બરતા કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રણજીતસિંહની 9 ફૂટ ઉંચી પ્રતિમા હતા, જેનું ઉદ્ઘાટન તેમની 180મી પુણ્યતિથી પર 27 જૂન 2019માં કરવામાં આવ્યું હતું. શેર-એ-પંજાબના નામથી લોકપ્રિય મહારાજા રણજીતસિંહે 19મી સદીના શરૂઆતી સમયમાં પંજાબ ક્ષેત્રમાં શીખ સામ્રાજ્ય પર શાસન કર્યુ હતું. રણજીતસિંહની મૂર્તિ કોલ્ડ બ્રોન્ઝ ધાતૂથી બનાવવામાં આવી છે. જેમાં મહારાજા રણજીતસિંહ હાથમાં તલવાર લઈ શીખ પોશાકમાં ઘોડા પર બેઠેલા નજરે આવી રહ્યા છે.
મૂર્તિને ફકીરખાના સંગ્રહાલયના માર્ગદર્શનમાં સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના બાદ પાકિસ્તાની પોલીસે એક કિશોરની ધરપકડ કરી. કિશોરનું નામ જહિર છે. જહિરે પોતાના મિત્રોની સાથે લાહોરના રોયલ ફોર્ટમાં સ્થાપિત મૂર્તિને ખંડિત કરી દીધી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો