ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડશે ચૂંટણી, પ્રથમવખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા ઠાકરે પરિવારના સભ્ય
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મુંબઈમાં વર્લી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે. આ પ્રથમ વખત હશે જ્યારે ઠાકરે પરિવારના કોઈ સભ્ય ચૂંટણી મેદાનમાં ઉભા થઈ રહ્યા છે. હાલમાં આદિત્ય ઠાકરે શિવસેનાની યુવા શાખા, યુવા સેનાના પ્રમુખ છે. મુંબઈની વર્લી સીટ અત્યારે શિવસેનાની પાસે જ છે. વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપીને આદિત્ય ઠાકરેને ટિકિટ આપવામાં […]
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મુંબઈમાં વર્લી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે. આ પ્રથમ વખત હશે જ્યારે ઠાકરે પરિવારના કોઈ સભ્ય ચૂંટણી મેદાનમાં ઉભા થઈ રહ્યા છે.
હાલમાં આદિત્ય ઠાકરે શિવસેનાની યુવા શાખા, યુવા સેનાના પ્રમુખ છે. મુંબઈની વર્લી સીટ અત્યારે શિવસેનાની પાસે જ છે. વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપીને આદિત્ય ઠાકરેને ટિકિટ આપવામાં આવી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આદિત્ય ઠાકરે શિવસેનાના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હોઈ શકે છે. અત્યાર સુધી શિવસેના ચૂંટણીમાં કોઈ ચહેરા વગર ઉતરી છે પણ હવે તેમને રણનીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આદિત્ય ઠાકરેએ ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં ‘જન આર્શીવાદ યાત્રા’ કરી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોને, ખાસ કરીને યુવા મતદારોને તેમની સાથે જોડવાનો હતો. તેમાં આદિત્ય ઠાકરે સામાન્ય લોકોની સાથે જોડાવવામાં ખુબ સફળ પણ રહ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શિવસેના 126 સીટો પર ચૂંટણી લડશે, ત્યારે ભાજપના ખાતામાં 144 સીટો આવી શકે છે, સાથે જ સહયોગી પાર્ટીઓને 18 સીટો આપવામાં આવશે.
ચૂંટણી પંચે તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી 24 ઓક્ટોબરે થશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર હશે અને નામાંકન પાછુ લેવાની તારીખ 7 ઓક્ટોબર હશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો