‘કમલનાથ’ સરકાર બચાવી શકશે કે નહીં? ફ્લોર ટેસ્ટ કરાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ
મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશની કમલનાથ સરકારને વિધાનસભામાં ફલોર ટેસ્ટ માટે આદેશ આપ્યો છે. બહુમતિ સાબિત કરવા માટે શુક્રવારે પાંચ વાગ્યા સુધી સમય આપવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more પ્રેગનેન્સીમાં […]
મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશની કમલનાથ સરકારને વિધાનસભામાં ફલોર ટેસ્ટ માટે આદેશ આપ્યો છે. બહુમતિ સાબિત કરવા માટે શુક્રવારે પાંચ વાગ્યા સુધી સમય આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કોરોના વાઈરસ : નવરાત્રી પર PM મોદીએ કર્યા 9 આગ્રહ, વાંચો વિગત
ઉલ્લેખનીય છે અંદાજે 16 ધારાસભ્યોના રાજનામાંથી વિવાદ શરુ થયો છે. જ્યોતિરાદિત્ય સિધિયાના સમર્થકો હોવાની જાણકારી મળી રહી છે. કોર્ટે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કોંગ્રેસની સરકારને આદેશ આપ્યો છે. આ પહેલાં વિવાદ થયો હતો અને કોંગ્રેસે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે. જો કે કોર્ટે આ મામલે કોંગ્રેસની એવી અપીલને ફગાવી દીધી હતી જેમાં ધારાસભ્યોને મળવાનો આદેશ કોર્ટ તરફથી આપવામાં આવે. કોર્ટે કમલનાથ સરકારના સ્પીકરને ફટકાર લગાવતા કહ્યું કે તમે આ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કેમ ના કર્યો?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભાજપે પણ પોતાનો પક્ષ કોર્ટમાં રાખીને જલદીથી જલદી ફ્લોર ટેસ્ટ કરાવવા માટે માગણી કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી છે આ સિવાય મધ્યપ્રદેશની કમલનાથ સરકારને સિક્યુરીટી આપવા પણ કહ્યું છે જેથી ધારાસભ્યો બેંગલુરુંથી મધ્યપ્રદેશ પહોંચી શકે. જો કે ફ્લોર ટેસ્ટમાં કમલનાથ સરકારનો વિજય થાય છે કે નહીં તેના વિશે તો ફ્લોર ટેસ્ટ બાદ જ ખબર પડી શકશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]