પાકિસ્તાનના પૂર્વ ધારાસભ્ય પોતાનો જીવ બચાવીને પહોંચ્યા ભારત, માંગ્યો રાજકીય આશ્રય
પાકિસ્તાનમાં જ્યારે એક નેતાની હાલત આવી થઈ શકે છે તો પછી વિચારો કે ત્યાંની લઘુમતી વસ્તીનું શું થતું હશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (PTI)ના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમારને તેમના પરિવાર સહિત પોતાનું જીવન બચાવીને ભારતમાં આવવુ પડ્યુ. તેઓએ ભારતમાં રાજકીય આશ્રય માંગ્યો છે. બલદેવ ખૈબર પખ્તુન ખ્વા (KPK) વિધાનસભામાં બારીકોટ સીટથી ધારાસભ્ય […]
પાકિસ્તાનમાં જ્યારે એક નેતાની હાલત આવી થઈ શકે છે તો પછી વિચારો કે ત્યાંની લઘુમતી વસ્તીનું શું થતું હશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (PTI)ના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમારને તેમના પરિવાર સહિત પોતાનું જીવન બચાવીને ભારતમાં આવવુ પડ્યુ.
તેઓએ ભારતમાં રાજકીય આશ્રય માંગ્યો છે. બલદેવ ખૈબર પખ્તુન ખ્વા (KPK) વિધાનસભામાં બારીકોટ સીટથી ધારાસભ્ય રહ્યા છે. બલદેવ ગયા મહિને ખન્ના (લુધિયાણા) પહોંચ્યા. તેના થોડા મહિના પહેલા તેમને પોતાના પરિવારને પહેલા જ ભારત મોકલી દીધા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બલદેવ હવે પાછા ફરવા ઈચ્છતા નથી. તે ભારતમાં આશ્રય માટે ઝડપી જ આવેદન કરશે. બલદેવે કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.
બલદેવે વધુમાં કહ્યું કે હિન્દુ અને શિખ નેતાઓની હત્યાઓ કરવામાં આવી રહી છે. વર્ષ 2016માં તેમના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યની હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યા માટે બલદેવ પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા અને તેમને 2 વર્ષ જેલમાં રાખવામાં આવ્યા, તેમને વર્ષ 2018માં મુક્ત કરવામાં આવ્યા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]