LRD ભરતી વિવાદ: બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદલોનકારી મહિલાઓની રેલી, આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી
આજે ચોથા દિવસે પણ બિન અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત્ છે. બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદોલન કરી રહેલી મહિલાઓએ રેલી યોજી હતી. મહિલાઓએ સ્વર્ણિમ પાર્કના બીજા છેડેથી વિધાનસભા સામે આવેલા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી રેલી કાઢી હતી. એટલું જ નહીં બાબા સાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કર્યા હતા. મહત્વનું છે કે ગઈકાલે CAA અને […]
આજે ચોથા દિવસે પણ બિન અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત્ છે. બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદોલન કરી રહેલી મહિલાઓએ રેલી યોજી હતી. મહિલાઓએ સ્વર્ણિમ પાર્કના બીજા છેડેથી વિધાનસભા સામે આવેલા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી રેલી કાઢી હતી. એટલું જ નહીં બાબા સાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કર્યા હતા. મહત્વનું છે કે ગઈકાલે CAA અને પુલવામા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે રેલીની મંજૂરી માગી હતી. જો કે કોઈપણ પ્રકારની રેલી માટે પોલીસે મંજૂરી આપી નહોતી. તેમ છતાં તેમણે રેલી કાઢી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે દિનેશ બાંભણીયાએ સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે પીએમએ એકવાર કહ્યું હતુ કે દેશની કોઈપણ મહિલાને કોઈ સમસ્યા હોય તો મને પત્ર લખી શકે છે. તેથી અમે પીએમ મોદી આવનનાના છે, જેમને મળવા માટે સમય માગીશું. મહત્વનું છે કે આંદોલન શરૂ થયે ચાર દિવસ થઈ ગયા છે છતાં સરકારે હાલ કોઈ નિર્ણય લીધો નથી.
જેથી મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ તેઓ સ્વર્ણિમ પાર્કમાં આંદોલન પર કરી રહ્યા છે અને તેમને આશા છે કે આજે સરકાર કોઈ નક્કર નિર્ણય લેશે અને જો સકારાત્મક નિર્ણય નહી આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી હાલ મહિલાઓ અને આગેવાનો આપી રહ્યા છે અને જો સરકાર સમજતી હોય કે મહિલાઓ કંટાળીને આંદોલન પૂરૂ કરી દેશે તો તેવું નહીં થાય આ વાત પણ આંદોલનકારીઓ કરી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો