લોકસભા ચૂંટણીના મતદાનનો બીજા તબક્કો, જાણો કેટલા ઉમેદવારો સંડોવાયેલા છે ગુનાહિત મામલાઓમાં?
લોકસભાની ચૂંટણીને લઈને બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલના રોજ યોજાવાનું છે. લોકસભા ચૂંટણીમાં બીજા ચરણના મતદાનમાં કુલ 16 ટકા ઉમેદવારો સામે ગુનાહિત મામલાઓમાં કેસ નોંધાયેલા છે. લોકસભા ચૂંટણીને લઈને બીજા તબક્કાના મતદાનમાં કુલ 13 રાજ્યોની 97 સીટ પર મતદાનની પ્રક્રિયા યોજાશે. આ મતદાનની પ્રક્રિયામાં 1590 ઉમેદવારો પોતાનું રાજકીયભાવિ દાવ પર લગાવશે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે […]
લોકસભાની ચૂંટણીને લઈને બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલના રોજ યોજાવાનું છે. લોકસભા ચૂંટણીમાં બીજા ચરણના મતદાનમાં કુલ 16 ટકા ઉમેદવારો સામે ગુનાહિત મામલાઓમાં કેસ નોંધાયેલા છે.
લોકસભા ચૂંટણીને લઈને બીજા તબક્કાના મતદાનમાં કુલ 13 રાજ્યોની 97 સીટ પર મતદાનની પ્રક્રિયા યોજાશે. આ મતદાનની પ્રક્રિયામાં 1590 ઉમેદવારો પોતાનું રાજકીયભાવિ દાવ પર લગાવશે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે આ 1590માંથી 251 ઉમેદવારોએ જણાવ્યું કે તેમની પર કોઈના કોઈ ગુના કે ભંગ હેઠળ વિવિધ કેસો ચાલી રહ્યાં છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે.
કોંગ્રેસના ઉમેદવારો પર સૌથી અપરાધના મામલાઓ
બીજા ચરણના મતદાનમાં જો પાર્ટીની રીતે જોવા જઈએ તો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો સૌથી વધારે છે કે જેમની પર કેસ ચાલી રહ્યાં હોય. ભાજપના 51માંથી 16 ઉમેદવારો પર કેસ નોંધાયેલા છે તો કોંગ્રેસ પાર્ટીના 53માંથી 23 ઉમેદવારો અપરાધના મામલાઓ સાથે સંકળાયેલા છે અને ચૂંટણી લડી રહ્યાં છે. બસપાના 80 ઉમેદવારોમાંથી 16, એઆઈડીએમકેના 22 ઉમેદવારોમાંથી 3, ડીએમકેના 24 ઉમેદવારોમાંથી 11 જ્યારે શિવસેનાના 11 ઉમેદવારમાંથી 4 ઉમેદવાર પર કેસ ચાલી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]