વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈન હેઠળ 500 જગ્યા પર વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે ચર્ચા
લોકસભા ચૂંટણી પ્રચારની તમામ ચર્ચા ‘ચોકીદાર’ શબ્દ પર આવીને રોકાઈ છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની 500 જગ્યા પરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈન કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે બીજી બાજુ વિપક્ષે હુમલો કર્યો છે. માયાવતીએ આ કેમ્પેઈન પર હુમલો કરતા કહ્યું કે ‘સરળ જીવન ઉચ્ચ વિચારના વિરોધી શાહી અંદાજમાં જીવનારા જે […]
લોકસભા ચૂંટણી પ્રચારની તમામ ચર્ચા ‘ચોકીદાર’ શબ્દ પર આવીને રોકાઈ છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની 500 જગ્યા પરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈન કરવાનો નિર્ણય કર્યો છે.
ત્યારે બીજી બાજુ વિપક્ષે હુમલો કર્યો છે. માયાવતીએ આ કેમ્પેઈન પર હુમલો કરતા કહ્યું કે ‘સરળ જીવન ઉચ્ચ વિચારના વિરોધી શાહી અંદાજમાં જીવનારા જે વ્યકિતએ ગઈ લોકસભા ચૂંટણી વખતે વોટ માટે પોતાને ‘ચા વાળા’ જાહેર કર્યા હતા. તે હવે આ ચૂંટણીમાં વોટ માટે શાનથી પોતાને ચોકીદાર જાહેર કરી રહ્યા છે. દેશ સાચે જ બદલાઈ રહ્યો છે.
SP ચીફ અખિલેશ યાદવે પણ ટ્ટિટ કરીને કહ્યું કે વિકાસ પૂછી રહ્યો છે કે જનતાના બૅંક ખાતામાંથી જે પૈસા કપાય છે. શું તેને બચાવવા માટે કોઈ ચોકીદાર છે? મંત્રાલયમાંથી રાફેલની ફાઈલ ચોરી થવા પર જવાબદાર ચોકીદારને સજા મળી?
‘विकास’ पूछ रहा है… मंत्रालय से जहाज़ की फ़ाइल चोरी होने के लिए ज़िम्मेदार लापरवाह चौकीदार को सज़ा मिली क्या?#VikasPoochhRahaHai#LaparvaahChowkidaar#MahaParivartan
— Akhilesh Yadav (@yadavakhilesh) March 19, 2019
ત્યારે ભાજપે ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈનને ચૂંટણીની થીમ બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે વડાપધ્રાન નરેન્દ્ર મોદી દેશની 500 જગ્યાએથી 31 માર્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘મેં ભી ચોકીદાર’ આંદોલનને લઈને લોકોની સાથે ચર્ચા કરશે. આ એક મોટું જનઆંદોલન બની ગયું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]