‘યૂટર્ન’ માસ્ટર કેજરીવાલ અને રાહુલ ગાંધી વચ્ચે ટ્વિટર પર ઘમાસાણ, દિલ્હીની સીટોને લઈને વિવાદ વકર્યો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ગઠબંધન માટે આમ આદમી પાર્ટીને આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દિલ્હીમાં 4 સીટો આપવા માટે તૈયાર છે અને હવે વારો આમ આદમી પાર્ટીનો છે. An alliance between the Congress & AAP in Delhi would mean the rout of the BJP. The Congress is willing to give […]
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ગઠબંધન માટે આમ આદમી પાર્ટીને આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દિલ્હીમાં 4 સીટો આપવા માટે તૈયાર છે અને હવે વારો આમ આદમી પાર્ટીનો છે.
An alliance between the Congress & AAP in Delhi would mean the rout of the BJP. The Congress is willing to give up 4 Delhi seats to the AAP to ensure this.
But, Mr Kejriwal has done yet another U turn!
Our doors are still open, but the clock is running out. #AbAAPkiBaari
— Rahul Gandhi (@RahulGandhi) April 15, 2019
લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લઈને અનેક અટકળો સેવાઈ રહી છે. આ સમયે જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને આમ આદમી પાર્ટીને ખુલ્લું આમંત્રણ આપી દીધું છે. રાહુલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 4 સીટ આપવાની ઓફર પણ કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તો તૈયાર છે પણ કેજરીવાલના લીધે નિર્ણય લેવામાં મોડું થઈ રહ્યું છે.
રાહુલ ગાંધીના આ ટ્વિટને લઈને આમ આદમી પાર્ટીના ગોપાલ રાયે પ્રતિક્રિયા પણ આપી દીધી છે. રાયે રાહુલ ગાંધીના ટ્વિટના જવાબમાં લખ્યું કે રાહુલ ગાંધીજી 18 સીટ પર ભાજપને હરાવવા માટે રસ કેમ નથી દાખવી રહ્યાં? રાહુલ ગાંધીજીએ 4 સીટનો દરવાજો ખોલ્યો છે તો અમે દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં 18 સીટ પર ભાજપને હરાવવા માટે દરવાજો ખોલી રાખ્યો છે.
पंजाब में AAP के 4 सांसद 20 विधायक Cong एक भी सीट नही देना चाहती, हरियाणा जहाँ Cong का एक सांसद वहाँ भी Cong एक सीट नही देना चाहती, दिल्ली जहाँ Cong के 0 MLA 0 MP वहाँ आप हमसे 3 सीट चाहते हैं क्या ऐसे होता है समझौता? आप दूसरे राज्यों में भाजपा को क्यों नही रोकना चाहते? https://t.co/tJSQBnvH7O
— Sanjay Singh AAP (@SanjayAzadSln) April 15, 2019
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહે પણ રાહુલ ગાંધીના આ ટ્વિટને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીને એમ કહેવામાં આવ્યું છે કે માત્ર દિલ્હીની સીટો પર જ કેમ ગઠબંધન જ્યારે આમ આદમી પાસે તો પંજાબમાં 4 સાંસદ અને 20 ધારાસભ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]