એગ્ઝિટ પોલ ભલે મોદી સરકારની તરફેણમાં હોય પણ તેમાં આ વાત જાણીને કોંગ્રેસે ખુશ થવાની જરુર છે
લોકસભાની ચૂંટણી 2019 ના સાતમા તબક્કા માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ એગ્ઝિટ પાલના પરિણામો તમામ એજન્સીઓ દ્વારા પર બહાર પાડવામાં આવ્યાં. એગ્ઝિટ પાલના આંકડામાં તફાવત છે પરંતુ તમામ પોલમાં NDA સ્પષ્ટ બહુમતી મેળવે છે. મોટાભાગે અનુમાનોમાં NDAને 339-365 સીટો મળે છે. જ્યારે UPAને 77-108 સીટો મળવાનુ અનુમાન છે. દરેક એગ્ઝિટ પોલમાં UPA માટે ખરાબ […]
લોકસભાની ચૂંટણી 2019 ના સાતમા તબક્કા માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ એગ્ઝિટ પાલના પરિણામો તમામ એજન્સીઓ દ્વારા પર બહાર પાડવામાં આવ્યાં. એગ્ઝિટ પાલના આંકડામાં તફાવત છે પરંતુ તમામ પોલમાં NDA સ્પષ્ટ બહુમતી મેળવે છે. મોટાભાગે અનુમાનોમાં NDAને 339-365 સીટો મળે છે. જ્યારે UPAને 77-108 સીટો મળવાનુ અનુમાન છે. દરેક એગ્ઝિટ પોલમાં UPA માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. પરંતુ સારા સમાચાર એ છે કે આ વખતે નેતા વિરોધપક્ષમાં બેસવાનો મોકો મળી શકે છે.
આ પણ વાંચો: જાણો એગ્ઝિટ પોલના અનુમાનોને લઈને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શું કહ્યું?
2014 લોકસભા ચુંટણીમાં કોંગ્રેસને માત્ર 44 સીટો મળવાના કારણે વિરોધ પક્ષના તરીકે પણ પદ મળ્યું ન હતુ. લોકસભામાં નેતા વિરોધપક્ષ પદ પ્રાપ્ત કરવા માટે 10% સીટ મેળવવી જરૂરી બને છે. 543 સભ્યોની લોકસભામાં 2014 માં કોઈ પાર્ટી 54 સીટ પર આવી ન હતી. કોંગ્રેસ 5 વર્ષ સુધી વિરોધપક્ષના પદ માંટે લડાઈ કરતી રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ NDA કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવે તેવુ એગ્ઝિટ પોલના આંકડાઓ કહી રહ્યાં છે.
આ વખતના એગ્ઝિટ પોલમાં કોંગ્રેસ માટે વિરોધપક્ષનુ પદએ આશાનુ કિરણ છે. ટોટલ 543 સીટના 10% એટલે કે 54 સીટ મેળવવી જરૂરી છે. જે 2014માં મળી નહોતી. કોંગ્રેસે પ્રયત્નો કર્યા વિરોધ પક્ષના પદ માટે પરંતુ તેમા સફળતા મળી નહોતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]