ચૂંટણી પરિણામો પહેલા વિપક્ષી ગઠબંધન થયું વધારે સક્રિય, 24 કલાકમાં ચંદ્રબાબૂ નાયડૂની બીજી વખત દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત
લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને TDPના નેતા ચંદ્રબાબુ નાયડૂએ ભાજપ વિરોધી ગઠબંધનને એક મંચ પર લાવવાનું કામ શરૂ કરી દીધુ છે. તેમણે રવિવારે સતત બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ પણ વાંચો: ‘જય શ્રી રામ’ બોલવા પર જેલમાં નાખવાવાળી મમતાદીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુફા યાત્રા […]
લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને TDPના નેતા ચંદ્રબાબુ નાયડૂએ ભાજપ વિરોધી ગઠબંધનને એક મંચ પર લાવવાનું કામ શરૂ કરી દીધુ છે. તેમણે રવિવારે સતત બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.
નાયડૂએ શનિવારે રાહુલ ગાંધી અને શરદ પવારની સાથે અરવિંદ કેજરીવાલ, શરદ યાદવ, સુધાકર રેડ્ડી અને ડી રાજા સાથે પણ મુલાકાત કરી હતી. તેઓએ સાંજે લખનઉ પહોંચીને માયાવતી અને અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી જે સકારાત્મક રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ચંદ્રબાબુ નાયડૂ ભાજપ વિરોધી મહાગઠબંધન બનાવવા માટે વિપક્ષી દળોને એક કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. ચંદ્રબાબુ નાયડૂ થોડા સમય પહેલાં સુધી NDAમાં જ હતા. પરંતુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળવાના કારણે તેમણે નારાજ થઈને NDAથી અલગ થઇ ભાજપ વિરોધી મહાગઠબંધન બનાવી રહ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]