ચૂંટણીની તારીખોને લઇને જ વિપક્ષે શરૂ કરી રાજનીતિ, રમઝાનની આડમાં ચૂંટણી પંચ પર ઉઠાવી રહ્યા છે સવાલ
ટીએમસી નેતા ફિરહાદ હકીમે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે. અમે તેનું સમ્માન કરીએ છીએ. અમે તેની વિરૂદ્ધ કંઇ પણ બોલવા માંગતા નથી. 7 તબક્કામાં ચૂંટણી ત્રણ રાજ્યો બિહાર, યુપી અને પશ્ચિમ બંગાળના લોકો માટે કઠિન હશે. આ તેમના માટે વધુ અઘરી હશે જે રમઝાનમાં રોઝા રાખે છે. કારણ કે એ સમયે રમઝાન […]
ટીએમસી નેતા ફિરહાદ હકીમે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે. અમે તેનું સમ્માન કરીએ છીએ. અમે તેની વિરૂદ્ધ કંઇ પણ બોલવા માંગતા નથી. 7 તબક્કામાં ચૂંટણી ત્રણ રાજ્યો બિહાર, યુપી અને પશ્ચિમ બંગાળના લોકો માટે કઠિન હશે. આ તેમના માટે વધુ અઘરી હશે જે રમઝાનમાં રોઝા રાખે છે. કારણ કે એ સમયે રમઝાન મહિનો પણ હશે.
ફિરહાદના અનુસાર, આ ત્રણેય રાજ્યોમાં લઘુમતીની વસ્તી અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ છે. તેઓ બધા રોઝા રાખી મતદાન કરશે. ચૂંટણી પંચે તેમનું ધ્યાન રાખવું જોઇતું હતું. જો કે ચૂંટણી પંચે પોતાની વાતમાં સ્પષ્ટ કર્યું હતું કે, ચૂંટણી પંચ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ ચૂંટણીનું આયોજન કર્યું છે.
Maulana Khalid Rashid disappointed with the dates of LS Elections 2019, asks EC to change the dates#LokSabhaElections2019 #TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, ११ मार्च, २०१९
ઇસ્લામિક સ્કોલર અને લખનઉ ઇર્દગાહના ઇમામ અને શહરકાજી મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ પણ 6 મેથી 19 મેના યોજાનાર લોકસભા ચૂંટણી પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 5 મેના મુસ્લિમોના સૌથી પવિત્ર એવા રમઝાન મહિનાનો ચાંદ દેખાશે ત્યાથી લઇ 19 મે સુધી રમઝાન અને ચૂંટણી ચાલશે જેમાં મુસ્લિમ લોકો માટે મુશ્કેલી બની રહેશે.
Firhad Hakim, Kolkata Mayor&TMC leader: Minority population in these 3 states is quite high. They'll cast votes by observing 'roza'. EC should've kept this in mind. BJP wants minorities to not cast their votes.But we aren't worried. People are committed to 'BJP hatao-desh bachao' pic.twitter.com/cNC79Vre8Q
— Tv9 Gujarati (@tv9gujarati) March 11, 2019
ત્રણ રાજ્યો યૂપી, બિહર અને પ.બંગાળમાં રમઝાન દરમિયાન મતદાન હોવાને કારણે મોટી અસર જોવા મળી શકે છે. આ ત્રણ રાજ્યો પણ એવા છે જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમો રહેલાં છે. તેમજ લોકસભાની ચૂંટણીમાં પણ આ ત્રણ રાજ્યોનું ખાસ મહત્વ છે. એટલું જ નહીં આ ત્રણ રાજ્યોમાં જ માત્ર સાત ચરણમાં ચૂંટણી યોજાઇ રહી છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2019: ગુજરાતમાં પ્રચાર માટે માત્ર છે 43 દિવસ, ભાજપે 26 બેઠક પર જીત મેળવવા માટે શરૂ કરી તડામાર તૈયારીઓ
રવિવાર ચૂંટણી પંચે 17મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં 11 એપ્રિલથી 19મી મેના વચ્ચે કરવાનો નિર્ણય કર્યો છે. સાતેય તબક્કાના મતદાન બાદ 23મી મેના રોજ મતગણતરી થશે. એટલું જ નહીં દર વખત લોકસભાની ચૂંટણી પણ એપ્રિલ-મે મા જ આયોજન કરવાની રહે છે. જે જોતાં તારીખ અને સમય યોગ્ય જ હોય શકે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]