ગ્રેટર નોઈડામાં વડાપ્રધાન મોદીનો પાકિસ્તાન પર પ્રહાર, ઍર સ્ટ્રાઈક પછી તો રડવા લાગ્યું છે પાકિસ્તાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં ચૂંટણી આચારસંહીતા લાગૂ થયાં પહેલા ગ્રેટર નોઈડાને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ધઘાટન કર્યુ. તેમાં નોઈડા સિટી સેન્ટર નોઈડા ઈલેક્ટ્રોનિક સિટી સેકશન ઓફ મેટ્રો અને ગ્રેટર નોઈડા સ્થિત દીનદયાલ ઉપાધ્યાય પુરાત્તવ સંસ્થાન સામેલ છે. તેના સિવાય ખુર્જા અને બકસર પાવર પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. Web […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં ચૂંટણી આચારસંહીતા લાગૂ થયાં પહેલા ગ્રેટર નોઈડાને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ધઘાટન કર્યુ.
તેમાં નોઈડા સિટી સેન્ટર નોઈડા ઈલેક્ટ્રોનિક સિટી સેકશન ઓફ મેટ્રો અને ગ્રેટર નોઈડા સ્થિત દીનદયાલ ઉપાધ્યાય પુરાત્તવ સંસ્થાન સામેલ છે. તેના સિવાય ખુર્જા અને બકસર પાવર પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું.
PM Narendra Modi in Greater Noida: Links of attacks and blasts earlier also were connected to Pakistan, but what did the earlier Govt do? They just changed the Home Minister. Now you tell me, in such situations should the home minister be changed or the policy?#TV9News pic.twitter.com/RlVp2PCE73
— Tv9 Gujarati (@tv9gujarati) March 9, 2019
વડાપ્રધાને કહ્યું કે વર્ષ 2010માં પુનામાં એક બેકરીમાં બોમ્બ બ્લાસ્ટ થયો, તે વર્ષે વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર બોમ્બ બ્લાસ્ટ થયો. વર્ષ 2011માં મુંબઈ ફરી આતંકી હુમલો થયો. ઓપેરા હાઉસ, જાવેરી બજાર, દાદરમાં બોમ્બ બ્લાસ્ટ થયા. દિલ્હી હાઈકોર્ટની સામે પણ બોમ્બ બ્લાસ્ટ થયો. સર્જીકલ સ્ટ્રાઈક અને ઍક સ્ટ્રાઈક પછી આતંકવાદીઓને સમજાઈ ગયું કે આ જુનું ભારત નથી. દેશના વીર તેમને જવાબ આપી રહ્યા છે પણ આ દેશના નાગરીક તરીકે આપણે પણ સાવચેતી રાખવીએ આપણી જવાબદારી છે.
ઉરી પછી આપણાં પાસે પૂરાવા માંગી રહ્યાં હતા. પુલાવામા હુમલા થયો તો ભારતના વીરોએ જે કામ કર્યુ તે કામ દાયકાઓ સુધી નથી થયું. આપણાં વીરોએ આતંકીઓને તેમના ઘરમાં ઘુસીને ઠાર કર્યા છે. ભારત ક્યારેય નહીં ભુલી શકે કે 26 નવેમ્બર,2008એ મુંબઈમાં પાકિસ્તાનથી આવેલ 10 આતંકીઓએ હુમલો કર્યો હતો. તેના બધા જ પૂરાવા પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકાઓને મોકલાતા હતા, પણ ભારતે શું કર્યુ, પાકિસ્તાનને કેવી રીતે જવાબ આપ્યો? તે સમયે આપણી વાયુસેનાએ કહ્યું કે અમને છુટી આપવામાં આવે પણ આપણા સુરક્ષાદળોને છુટ આપવામાં ના આવી. મુંબઈ હુમલા વખતે સેના ઘણી રોષે ભરાઈ હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]