લોકડાઉન દરમિયાન કેન્સલ થયેલી ફ્લાઈટમાં બુક એર ટિકિટ માટે રૂપિયા રિફંડ કરો: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે DGCAની લોકડાઉન દરમ્યાન રદ ફ્લાઈટની ટિકિટના રિફંડની ભલામણોનો સ્વીકાર કર્યો છે. એરલાઈન્સ કંપનીઓ હાલમાં આર્થિક સંકટ વચ્ચે ચાલી રહી છે, ત્યારે કોર્ટે ક્રેડિટ શેલ સુવિધા ડેવલોપ કરવા પણ પરવાનગી આપી છે. લોકડાઉને કારણે રદ થયેલી ફ્લાઈટ્સના મુસાફરોને ટિકિટનું રિફંડ 31 માર્ચ 2021 સુધી આપવાનો આદેશ એરલાઈન્સને આપવામાં આવ્યો છે. કોર્ટના આ નિર્ણયથી મુસાફરોને […]
સુપ્રીમ કોર્ટે DGCAની લોકડાઉન દરમ્યાન રદ ફ્લાઈટની ટિકિટના રિફંડની ભલામણોનો સ્વીકાર કર્યો છે. એરલાઈન્સ કંપનીઓ હાલમાં આર્થિક સંકટ વચ્ચે ચાલી રહી છે, ત્યારે કોર્ટે ક્રેડિટ શેલ સુવિધા ડેવલોપ કરવા પણ પરવાનગી આપી છે. લોકડાઉને કારણે રદ થયેલી ફ્લાઈટ્સના મુસાફરોને ટિકિટનું રિફંડ 31 માર્ચ 2021 સુધી આપવાનો આદેશ એરલાઈન્સને આપવામાં આવ્યો છે. કોર્ટના આ નિર્ણયથી મુસાફરોને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે પ્રસ્તાવ મુક્યો હતો કે લોકડાઉન દરમિયાન બુક કરાયેલ ટિકિટ માટે એરલાઈન્સ દ્વારા 15 દિવસની અંદર આખી રકમ પરત આપવી જોઈએ અને જો કોઈ એરલાઈન્સ નાણાકીય સંકટના કારણે અસમર્થ છે તો 31 માર્ચ, 2021 સુધીમાં મુસાફરોની પસંદગીનું મુસાફરી ક્રેડિટ શેલ પ્રદાન કરવું જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જસ્ટિસ અશોક ભૂષણની ભલામણ વાળી પીઠે સ્પષ્ટતા પણ કરી હતી કે જો ટ્રાવેલ એજન્ટો દ્વારા ટિકિટ ખરીદવામાં આવે તો રિફંડ તેજ પ્રક્રિયા થકી થશે. રકમ તે જ અકાઉન્ટમાં પરત કરવામાં આવશે જ્યાંથી એરલાઈનને ટિકિટની રકમને ચૂકવવામાં આવી હતી. આ યોજના મુસાફરોને પર લાગૂ થશે. જો ક્રેડિટ શેલનો ઉપયોગ ના થાય તો રિફંડ આપવું પડશે.
શું છે ક્રેડિટ શેલ?
ક્રેડિટ શેલ રદ કરાયેલ Passenger Name Record – PNR સામે આપવામાં આવેલ ક્રેડિટ નોટ છે. જેનો ઉપયોગ ભવિષ્યના બુકિંગ માટે કરી શકાય છે. ફ્લાઈટ COVID-19 મહામારીના કારણે સસ્પેન્ડ કરવામાં આવી હોય તો રિફંડના વિકલ્પ તરીકે ક્રેડિટ શેલ વિકલ્પ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો