પાકિસ્તાની સેનાની અવળચંડાઈ, ફરી વખત સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન, એક જવાન શહીદ
કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાનની અવળચંડાઈ ઓછી થઈ રહી નથી. પાકિસ્તાન ત્યારબાદ સતત ભારતને હેરાન કરવા માટે કોઈના કોઈ પગલું ઉઠાવે છે. હવે પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાની સેનાએ શનિવારે સવારે 6.30 વાગ્યે LOC પર ગોળીબારી કરી, જેનો ભારતીય સેનાને જડબાતોડ જવાબ આપ્યો પણ આ ઘટનામાં […]
કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાનની અવળચંડાઈ ઓછી થઈ રહી નથી. પાકિસ્તાન ત્યારબાદ સતત ભારતને હેરાન કરવા માટે કોઈના કોઈ પગલું ઉઠાવે છે. હવે પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે.
પાકિસ્તાની સેનાએ શનિવારે સવારે 6.30 વાગ્યે LOC પર ગોળીબારી કરી, જેનો ભારતીય સેનાને જડબાતોડ જવાબ આપ્યો પણ આ ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. શહીદ થયેલા જવાનનું નામ લાન્સ નાયક સંદીપ થાપા હતું અને તેમની ઉંમર 35 વર્ષની હતી. છેલ્લા 15 વર્ષથી સેનામાં ફરજ બજાવતા હતા. દેહરાદૂનના રહેવાસી સંદીપ પાકિસ્તાની ગોળીબારીમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન વધારી દીધુ છે. 15 ઓગસ્ટના દિવસે પણ જમ્મૂ-કાશ્મીરના પૂંછમાં કેજી સેક્ટરમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તે સિવાય ઉરી અને રાજૌરીમાં પણ પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું. જેમાં 3 પાકિસ્તાની જવાનને ઠાર કરવામાં આવ્યા. તે પહેલા પણ તે સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યા છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]