CM રૂપાણીના શહેર રાજકોટમાં રાહત, તરસતા રાજકોટવાસીઓ માટે આજી ડેમમાં ઠલવાયું પાણી
હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છની હાલત કફોડી છે. જેમાં રાજકોટવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમમાં 100mcft પાણી હતું જેમા નર્મદાનું 400mcft પાણી ઠાલવતા ડેમની સપાટી કુલ 500mcft પર પહોંચી છે. આ પાણી રાજકોટને […]
હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છની હાલત કફોડી છે. જેમાં રાજકોટવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે.
નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમમાં 100mcft પાણી હતું જેમા નર્મદાનું 400mcft પાણી ઠાલવતા ડેમની સપાટી કુલ 500mcft પર પહોંચી છે. આ પાણી રાજકોટને 3 દિવસ સુધી પુરૂ પડે તેટલું છે. આમ રાજકોટવાસીઓને પાણીને લઈને થોડી રાહત થઈ છે.
રાજ્ય સરકારે ઓછા વરસાદ થતાં સપ્ટેમ્બર મહિનામાં જ 96 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી દીધા હતા. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂનથી બેસી જતું હોય છે પણ પાણી અંગેનું આયોજન 31 જુલાઇ સુધીનું છે. એટલે પીવાના પાણી બાબતે કોઇએ પણ ચિંતા કરવાની જરૂર નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]