કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન, કાયદો વ્યવસ્થા જાળવવા રાજ્યમાં કલમ 144 લાગુ કરાઇ
કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કાયદો વ્યવસ્થા જાળવવા ગુજરાત રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. કોંગ્રેસના સમર્થનવાળી ખેડૂત સંસ્થાઓએ બંધને સમર્થન આપ્યું છે અને કોંગ્રેસે બંધમાં જોડાવવા લોકોને અપીલ કરી છે. કોંગ્રેસે શાંતિપૂર્ણ રીતે બંધ પાળવા માટે લોકોને અપીલ કરી છે સામે ભાજપ પ્રેરિત સંસ્થાઓએ બંધમાં નહીં જોડાવાનું એલાન […]
કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કાયદો વ્યવસ્થા જાળવવા ગુજરાત રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. કોંગ્રેસના સમર્થનવાળી ખેડૂત સંસ્થાઓએ બંધને સમર્થન આપ્યું છે અને કોંગ્રેસે બંધમાં જોડાવવા લોકોને અપીલ કરી છે. કોંગ્રેસે શાંતિપૂર્ણ રીતે બંધ પાળવા માટે લોકોને અપીલ કરી છે સામે ભાજપ પ્રેરિત સંસ્થાઓએ બંધમાં નહીં જોડાવાનું એલાન કર્યું છે જેને પગલે રાજ્યની અનેક એપીએમસી આજે કાર્યરત રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો