કોરોના મહામારી વચ્ચે અમદાવાદનું કાંકરિયા રાબેતા મુજબ શરૂ, 45 જેટલા ફૂડ સ્ટોલ અને 2 ફૂડ કોર્ટના તમામ સ્ટાફ સહિત 300 જેટલા સ્ટાફનું ટેસ્ટિંગ
કોરોના મહામારી વચ્ચે આજથી અમદાવાદનું કાંકરિયા રાબેતા મુજબ શરૂ થયું છે. સાથે જ આજથી અન્ય એક્ટિવિટી પણ શરૂ કરવામાં આવશે.જોકે કાંકરિયા ફૂલફ્લેજ શરૂ કરતા પહેલા તમામ પ્રકારની તકેદારી AMC દ્વારા રાખવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે 20 દિવસ અગાઉ કાંકરિયા ઝુ શરૂ કરવામાં આવ્યું હતું જોકે મુલાકાતીઓની સંખ્યા ઓછી નોંધાઇ હતી […]
કોરોના મહામારી વચ્ચે આજથી અમદાવાદનું કાંકરિયા રાબેતા મુજબ શરૂ થયું છે. સાથે જ આજથી અન્ય એક્ટિવિટી પણ શરૂ કરવામાં આવશે.જોકે કાંકરિયા ફૂલફ્લેજ શરૂ કરતા પહેલા તમામ પ્રકારની તકેદારી AMC દ્વારા રાખવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે 20 દિવસ અગાઉ કાંકરિયા ઝુ શરૂ કરવામાં આવ્યું હતું જોકે મુલાકાતીઓની સંખ્યા ઓછી નોંધાઇ હતી ત્યારે હવે કાંકરિયાને ફૂલફ્લેજ શરૂ કરવાની સાથે મુલાકાતીઓની સંખ્યા વધે તેવી સત્તાધીશોને આશા છે. જોકે કાંકરિયા સંપૂર્ણપણે શરૂ કરતા પહેલા 45 જેટલા ફૂડ સ્ટોલ અને 2 ફૂડ કોર્ટના તમામ સ્ટાફ સહિત 300 જેટલા સ્ટાફનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ નેગેટિવ આવનારા સ્ટાફને જ કાંકરિયામાં પ્રવેશ આપવામાં આવશે. જોકે સ્ટોલ ધારકો માટે પણ નિયમ બનાવવામાં આવ્યા છે જેમાં સ્ટાફની 50 ટકા ક્ષમતા અને અન્ય નિયમોનું પાલન કરવું ફરજિયાત હોવાનુ અધિકારીઓ જણાવી રહ્યા છે તો બીજી તરફ મુલાકાતીઓ પણ ઇચ્છી રહ્યા છે કે હવે કાંકરિયા અગાઉની જેમ ધમધમતુ થવું જોઇએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો